નેપાળમાં માર્ગ અકસ્માતમાં ૨૪ ભારતીયોના મોત બાદ તેમના પરત ફરવા માટે વિશેષ વિમાનની વ્યવસ્થા કરવામાં આવી હતી. મુખ્ય પ્રધાન એકનાથ શિંદે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહનો સંપર્ક કર્યેા અને મદદ મેળવી. આ ઘટનામાં કુલ ૨૭ લોકોના મોત થયા હતા. મૃતદેહોની ઓળખની પ્રક્રિયા ચાલી રહી છે.
નેપાળમાં એક ભયાનક માર્ગ અકસ્માતમાં જીવ ગુમાવનારા ૨૪ પ્રવાસીઓના મૃતદેહ લાવવા માટે ભારતીય વાયુસેનાનું એક વિશેષ વિમાન નાસિક મોકલવામાં આવ્યું છે. આ તમામ પ્રવાસીઓ મહારાષ્ટ્ર્રના જલગાંવ જિલ્લાના રહેવાસી હતા. આ દુર્ઘટના બુધવારે તનાહત્પન જિલ્લાના આઈના પહારા ખાતે થઈ હતી યારે પોખરાથી કાઠમંડુ જઈ રહેલી બસ મસ્યાગડી નદીમાં પડી હતી. આ દુર્ઘટનામાં કુલ ૨૭ પ્રવાસીઓના મોત થયા હતા, જેમાંથી મોટાભાગના ભારતીય હતા.મહારાષ્ટ્ર્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ આ દુર્ઘટના પર ઐંડું દુ:ખ વ્યકત કયુ છે અને મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યકત કરી છે. તેમણે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અને અન્ય વરિ કેન્દ્રીય અધિકારીઓ સાથે વાત કરી અને મૃતદેહોને ઝડપથી પરત લાવવા વિનંતી કરી. મુખ્યમંત્રી કાર્યાલયના જણાવ્યા અનુસાર, અમિત શાહે મુખ્યમંત્રી શિંદેને કેન્દ્ર સરકાર તરફથી તમામ શકય મદદની ખાતરી આપી છે.
મુખ્યમંત્રીએ શું કહ્યું?
આ ઘટના પર શોક વ્યકત કરતા મુખ્યમંત્રી શિંદેએ કહ્યું કે નેપાળમાં ભારતીય તીર્થયાત્રીઓને લઈને જતી બસના અકસ્માતના સમાચાર અત્યતં દુ:ખદ છે. આ બસમાં મહારાષ્ટ્ર્રના જલગાંવના તીર્થયાત્રીઓ પણ સવાર હતા. કમનસીબે કેટલાક ભકતોએ જીવ ગુમાવ્યો છે યારે અન્ય લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. રાય સરકાર નેપાળ એમ્બેસી અને ઉત્તર પ્રદેશ સરકાર સાથે મળીને ઘાયલોને તાત્કાલિક તબીબી સંભાળ મળે તે સુનિશ્ચિત કરી રહી છે. મૃતકોના મૃતદેહને મહારાષ્ટ્ર્ર પરત લાવવાના પ્રયાસો પણ ચાલુ છે.
મૃતદેહોને આજે નાશિક લાવવામાં આવશે
મુખ્ય પ્રધાનના કાર્યાલયે જણાવ્યું હતું કે નેપાળમાં ચાલી રહેલા રાહત કાર્ય વિશે માહિતી મેળવવા માટે મુખ્ય પ્રધાન રાયના રાહત અને પુનર્વસન વિભાગના અધિકારીઓ અને કેન્દ્રીય અધિકારીઓ સાથે સતત સંપર્કમાં છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર મૃતદેહોની ઓળખની પ્રક્રિયા ચાલી રહી છે. મૃતદેહોને લઈને શનિવારે એરફોર્સનું એક વિશેષ વિમાન નાસિક પહોંચશે, ત્યારબાદ તેમને તેમના પરિવારજનોને સોંપવામાં આવશે.
મૃતકોને નાસિક લાવવાનો ખર્ચ સરકાર ભોગવશે
કેન્દ્ર સરકારને લખેલા પત્રમાં મહારાષ્ટ્ર્રના ડિઝાસ્ટર મેનેજમેન્ટ ડાયરેકટર લહુ માલીએ જણાવ્યું હતું કે મૃતદેહો અને ઘાયલ મુસાફરોને ૨૪ ઓગસ્ટની સાંજે ગોરખપુર લાવવામાં આવશે, પરંતુ કોમર્શિયલ એરક્રાટ દ્રારા તેમને મહારાષ્ટ્ર્ર પાછા લાવવા શકય નથી, તેથી એરફોર્સના એરક્રાટની વ્યવસ્થા કરવામાં આવી છે. પત્રમાં કહેવામાં આવ્યું છે કે ગોરખપુરથી મૃતકોને નાસિક લાવવા માટે લાઇટનો ખર્ચ રાય સરકાર ઉઠાવશે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationદ્વારકા બરડીયા નજીક ટ્રાવેલ્સ અને બે કાર વચ્ચે અકસ્માત, 3 થી 4 લોકોના મોત થયાની આશંકા
September 28, 2024 09:01 PMઅમેરિકામાં 'હેલેન' વાવાઝોડાએ તબાહી મચાવી, એક મહિનાના જોડિયા બાળકો સહિત 44ના મોત
September 28, 2024 08:42 PMBCCIની બેઠકમાં IPL પર લેવાશે મોટો નિર્ણય, અધ્યક્ષ સહિત આ 3 પદો પર નિર્ણય!
September 28, 2024 08:38 PMરાજકોટ: મંદિરના પૂજારીને માર મારતો હોવાનો વિડીયો થયો વાયરલ, સમગ્ર ઘટના થઈ સીસીટીવીમાં કેદ
September 28, 2024 07:01 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech