રાજસ્થાનના બાડમેરમાં ગઈકાલે એક મોટો અકસ્માત થયો હતો. અહીં ભારતીય વાયુસેનાનું ફાઈટર પ્લેન મિગ-29 બાડમેર ઉત્તરલાઈ બેઝ પાસે ક્રેશ થયું છે. જો કે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ હોવાની માહિતી નથી. પાયલોટ સુરક્ષિત છે. આ અકસ્માત નિયમિત પ્રેક્ટિસ દરમિયાન થયો હતો.
માહિતી મળતા જ પોલીસ અને વહીવટીતંત્રના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. દુર્ઘટના પહેલા પાયલોટ બહાર નીકળી ગયો હતો. ફાઈટર પ્લેન રહેણાંક વિસ્તારથી દૂર ક્રેશ થયું છે. આ અકસ્માત સોમવારે રાત્રે 10 વાગ્યાની આસપાસ થયો હતો.
ઘટનાની માહિતી મળ્યા બાદ બાડમેરના કલેક્ટર નિશાંત જૈન, એસપી નરેન્દ્ર સિંહ મીણા અને જિલ્લાના વહીવટી અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. સંરક્ષણ પીઆરઓ અજિતાભ શર્માએ જણાવ્યું કે મિગ-29 ફાઈટર પ્લેન ક્રેશ થયું છે. મામલાની માહિતી મળતા જ નગાણા પોલીસ સ્ટેશન ઘટનાસ્થળે રવાના થઈ ગયું હતું.
ભારતીય વાયુસેના (IAF HQ) અનુસાર, "રાજસ્થાનના બાડમેરમાં ટેકનિકલ ખામીને કારણે MiG-29 ક્રેશ થયું હતું." જોકે પાયલોટ સંપૂર્ણપણે સુરક્ષિત છે. અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગીરમાં એડવાન્સ બુકિંગ માટે આ સાઇટનો ઉપયોગ કરજો...બાકી થઈ જશે ખાતું ખાલી...જાણો વિગત
September 20, 2024 08:01 PMતિરુપતિ બાલાજીમાં 50 વર્ષ ઘી સપ્લાય કંપનીએ શા માટે કર્યો ઇનકાર, કઈ કંપનીને મળ્યો નવો કોન્ટ્રાક્ટ
September 20, 2024 06:29 PMશું છે બીફ ટોલો? જેનો ઉપયોગ તિરુપતિ બાલાજીના પ્રસાદમાં થતો હતો
September 20, 2024 06:22 PMતિરુપતિ બાલાજી પ્રસાદના લાડુ કેવી રીતે બનાવવામાં આવે છે? દર વર્ષે 500 કરોડની કમાણી
September 20, 2024 06:18 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech