ખંભાળિયા નજીક આશાસ્પદ અગ્નિવીર જવાનનું કાર હડફેટે કરૂણ મોત નીપજયું

  • April 24, 2024 12:05 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ખંભાળિયા તાલુકાના વચલા બારા ગામે રહેતા અને અિવીર ટ્રેનિંગમાં પાસ થઈ અને હૈદરાબાદ ટ્રેનિંગમાં જાય તે પૂર્વે ખંભાળિયા નજીક ગઈકાલે મંગળવારે એક મોટરકારની અડફેટે આ યુવાનનું કણ મૃત્યુ નીપજયું હતું.આ બનાવની વિગત એવી છે કે ખંભાળિયા તાલુકાના વચલા બારા ગામે રહેતા બ્રિજરાજસિંહ પ્રવિણસિંહ સોઢા નામના ૨૦ વર્ષના યુવાન આર્મીની ભરતી પ્રક્રિયામાં સિલેકટ થઈ ગયા હતા. જેથી આ અંગેની ટ્રેનિંગ માટે હૈદરાબાદથી આવીને પરત જવાના હોવાથી ગઈકાલે મંગળવારે સવારના આઠેક વાગ્યાના સમયે તેમના મોટાભાઈ વિરેન્દ્રસિંહ પ્રવિણસિંહ સોઢા પિતરાઈ ભાઈ શકિતસિંહ તેમજ તેમના મામા દિલીપસિંહ ઈક્કો કારમાં તમને મૂકવા ખંભાળિયા–દ્રારકા માર્ગ પર અત્રેથી આશરે ૧૪ કિલોમીટર દૂર હંસ્થળ ગામના પાટીયા પાસે પહોંચ્યા હતા.

અહીંથી જવા માટે બ્રિજરાજસિંહ સહિત ત્રણેય વ્યકિતઓ એક ખાનગી ટ્રાવેલ્સની બસની રાહ જોઈ રહ્યા હતા, ત્યારે આ માર્ગ પરથી પૂરઝડપે અને બેફિકરાઈપૂર્વક આવી રહેલી જી.જે. ૦૩ એલ.એમ. ૪૬૧૦ નંબરની સ્વીટ મોટરકારના ચાલકે આ માર્ગ પર ઉભા રહેલા બ્રિજરાજસિંહને અડફેટે લેતા તેમની ખોપડી ફાટી ગઈ હતી અને લોહી લોહાણ હાલતમાં ગંભીર અવસ્થામાં તેમને ઈમરજન્સી ૧૦૮ મારફતે અહીંની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. યાં ફરજ પરના તબીબોએ તેમને મૃત્યુ પામેલા જાહેર કર્યા હતા. અહીં પોલીસે પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી કરી હતી.
આ સમગ્ર પ્રકરણ અંગે વચલા બારા ગામના રહીશ અને મૃતક બ્રિજરાજસિંહના મોટાભાઈ વિરેન્દ્રસિંહ પ્રવિણસિંહ સોઢા (ઉ.વ. ૨૬) ની ફરિયાદ પરથી ખંભાળિયા પોલીસે સ્વિટ મોટરકારના ચાલક સામે આઈ.પી.સી. કલમ ૨૭૯, ૩૦૪ (એ) તથા એમ.વી. એકટની કલમ હેઠળ ગુનો નોંધી, ધોરણસર તપાસ હાથ ધરી છે.
અકસ્માત બાદ પલટી જવાથી આ મોટરકારનો બુકડો બોલી ગયો હતો. આ મોટરકાર એક સગીર વયનો યુવાન ચલાવી રહ્યો હતો જેથી પોલીસે આ સગીરનો કબજો મેળવીને પૂછપરછ સહિતની કામગીરી કરી હતી.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application