ભારત હવે ચંદ્ર સુધી પહોંચવાથી માત્ર થોડા જ કદમ દૂર છે, મિશન ચંદ્રયાન-3 દરેક પસાર થતા દિવસે ચંદ્રની નજીક આવી રહ્યું છે. વિક્રમ 17 ઓગસ્ટ, ગુરુવારે લેન્ડર પ્રોપલ્શન મોડ્યુલથી સફળતાપૂર્વક અલગ થઈ ગયો. જે બાદ હવે આખો દેશ અને ઈસરોના વૈજ્ઞાનિકો લેન્ડિંગની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. કહેવામાં આવ્યું છે કે આવનારા દિવસો ખૂબ જ મહત્વપૂર્ણ છે, જેમાં લેન્ડરની ગતિ ઓછી કરવામાં આવશે અને સોફ્ટ લેન્ડિંગની તૈયારી કરવામાં આવશે.
પ્રોપલ્શન મોડ્યુલથી અલગ થયા પછી, લેન્ડર 'વિક્રમ' અને રોવર 'પ્રજ્ઞાન'નો સમાવેશ કરતું લેન્ડર મોડ્યુલ હવે ભ્રમણકક્ષામાં ઉતરવા માટે તૈયાર છે જે તેમને ચંદ્રની સપાટીની નજીક લાવશે. આ પછી, 23 ઓગસ્ટે, તે સમય આવશે જ્યારે લેન્ડર ચંદ્રની સપાટીને સ્પર્શ કરશે. ગત વખતની સરખામણીએ આ વખતે ચંદ્રયાન-3માં એવા ફેરફાર કરવામાં આવ્યા છે કે સોફ્ટ લેન્ડિંગ સરળતાથી થઈ શકશે. સાંજે 5.47 વાગ્યે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર આ 'સોફ્ટ લેન્ડિંગ' કરવાનો પ્રયાસ કરવામાં આવશે.
લેન્ડરને અલગ કર્યા બાદ ઈસરોએ આ માહિતી આપી હતી. ISRO એ ટ્વિટર પર જણાવ્યું હતું કે "લેન્ડર મોડ્યુલને પ્રોપલ્શન મોડ્યુલથી સફળતાપૂર્વક અલગ કરવામાં આવ્યું છે. તે ડીબૂસ્ટિંગ (સ્પીડ ઘટાડવાની પ્રક્રિયા)માંથી પસાર થવાની અને શુક્રવાર, 18 ઓગસ્ટે સાંજે લગભગ 4 વાગ્યે ચંદ્રની ભ્રમણકક્ષામાં થોડું નીચે આવવાની અપેક્ષા છે. ''
નેશનલ સ્પેસ એજન્સી (ઇસરો) એ પણ કહ્યું કે પ્રોપલ્શન મોડ્યુલ તેની વર્તમાન ભ્રમણકક્ષામાં ઘણા મહિનાઓ અને વર્ષો સુધી ફરતું રહેશે અને ઘણી મહત્વપૂર્ણ માહિતી આપશે. જણાવી દઈએ કે ચંદ્રયાન-3 પહેલા મોકલવામાં આવેલ ચંદ્રયાન-2 વર્ષ 2019માં 'સોફ્ટ લેન્ડિંગ'માં નિષ્ફળ ગયું હતું. જે બાદ હવે ચંદ્રયાન-3 મોકલવામાં આવ્યું છે. જેનો હેતુ ચંદ્રની સપાટી પર સુરક્ષિત 'સોફ્ટ લેન્ડિંગ' કરવાનો, ચંદ્ર પર રોવરને ખસેડવાનો અને વૈજ્ઞાનિક પ્રયોગો કરવાનો છે. લગભગ 600 કરોડ રૂપિયાના ખર્ચે બનેલા ચંદ્રયાન-3ને 14 જુલાઈએ ચંદ્રના દક્ષિણ ધ્રુવની યાત્રા પર મોકલવામાં આવ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ શહેરના બહુમાળી ભવન ચોક ખાતે ગત રાતે સઘન ચેકીંગ..
July 04, 2024 03:09 PMરાજકોટમાં કોઠારીયા રોડ પર મહાદેવના મંદિરમાં ચોરી, દાનપેટીમાંથી રોકડ રકમ ગાયબ
July 04, 2024 03:00 PMકોંગ્રેસ-આપ વચ્ચે પડ્યા ફાંટા, કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે કહ્યું કે...
July 04, 2024 02:56 PMઉપલેટા બાદ રાજકોટમાં નોંધાયો કોલેરાનો કેસ, પાણીના લેવાયા નમૂના
July 04, 2024 02:55 PMરાજકોટ સેન્ટ્રલ GST ઓફિસમાં CBIની ટીમના ધામા, એક અધિકારીની પૂછપરછની ચર્ચા
July 04, 2024 02:52 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech