પત્નીને છરીના ઘા ઝીંકયા બાદ પતિએ જાતે ગળા પર છરી ફેરવી

  • May 08, 2024 03:27 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટમાં ગત અઠવાડિયે કચ્છના પ્રેમી યુગલે યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં એકબીજાના ગળા પર બ્લેડના ઘા મારી આપઘાતનો પ્રયાસ કર્યેા હતો. જેમાં યુવતીનું મોત થયું હતું. હજુ આ બનાવ ની શાહી સુકાઈ નથી ત્યાં આ પ્રકારનો વધુ એક બનાવ સામે આવ્યો છે. જેમાં મવડી પ્લોટ વિસ્તારમાં આવેલા ઉદયનગરમાં રહેતા શખસે પત્નીને ગળાના ભાગે છરીના ઘા ઝીંકયા બાદ પોતે પણ ગળાનાભાગે છરી મારી દેતા પતિ–પત્ની બંનેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પત્ની ઝઘડો કરી માતાના ઘરે ચાલી જતા પતિએ સાસરિયાના ઘરે પહોંચી આ હત્પમલો કર્યેા હતો.

બનાવની જાણવા મળતી વિગતો મુજબ, મવડી પ્લોટ વિસ્તારમાં ઉદયનગર શેરી નંબર ૧૪માં રહેતા પ્રીતિબા મહેન્દ્રસિંહ જાડેજા(ઉ.વ ૩૯) નામની પરિણીતા ગઈકાલે સાંજના સમયે અને ઉદયનગર શેરી નંબર ૧ માં તેના માતા રસીલાબેન હરેશભાઈ ચૌહાણના ઘરે હતી. ત્યારે પતિ મહેન્દ્રસિંહ અહીં ધસી આવ્યો હતો અને ઝઘડો કરી પ્રીતિબાને ગળા તથા પેટનાભાગે છરીના ઘા ઝીંકી દીધા હતા. જેથી તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.બીજી તરફ મહેન્દ્રસિંહ તોગુભા જાડેજા(ઉ.વ ૪૦) એ પત્નીને છરીના ઘા ઝીંકયા બાદ અહીં ઉદયનગર શેરી નંબર ૧૯ માં પોતાની જાતે ગળે છરીના ઘા ઝીંકી દેતા ગંભીર ઈજા પહોંચતા તેને પણ સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.


વધુમાં જાણવા મળતી વિગતો મુજબ, મહેન્દ્રસિંહ બકાલુ વેચી પરિવારનું ગુજરાન ચલાવે છે ૧૬ વર્ષના લ ગાળામાં તેને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. ગઈકાલે કોઈ કારણસર પતિ–પત્ની વચ્ચે ઝઘડો થયા બાદ પરિણીતા પ્રીતિબા માવતરના ઘરે ચાલી જતા સાંજના સમયે પતિ અહીં છરી સાથે ઘસી જઇ આ હત્પમલો કર્યા બાદ પોતે જાતે પણ ગળાનાભાગે છરીના ઘા માર્યા હતા. હાલ પતિ–પત્ની બંનેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ મામલે માલવીયાનગર પોલીસે જરી કાર્યવાહી કરી હતી.


વિશેષમાં જાણવા મળતી વિગતો મુજબ, પ્રીતિબાના માતા રસીલાબેને જણાવ્યું હતું કે, જમાઈ મહેન્દ્રસિંહને ઉદયનગરમાં જ પાન બીડીનો થડો હોય જે તેણે એક માસ પૂર્વ પાંચ લાખ પિયામાં વેચી દીધો હતો. જે બાદ તે કોઈ કામ ધંધો કરતો ન હોય અને બે માસ પહેલા મહેન્દ્રસિંહ તેમના નામની પિયા ૫૦,૦૦૦ ની લોન લીધી હતી અને એક માસ પહેલા પ્રીતિબાના નામે પિયા બે લાખની લોન લીધી હતી. બાદમાં જમાઈ હા ન ભરતા ચેક બાઉન્સ થયો હતો જેથી તેમને જેલમાં જવાનો પણ વારો આવ્યો હતો. બાદમાં તેણીના પુત્રના મિત્રે લોનનો હો અને પેનલ્ટી ભરી જેલમાંથી છોડાવ્યા હતા.ત્યારબાદ પિયાની ઉઘરાણી કરતા જમાઈ ફોન ઉપાડતા ન હોય જેથી ગઈકાલે પ્રીતિબાએ ફોન કરી પિયાની ઉઘરાણી કરી હતી. બાદમાં જમાઈએ ચારિત્ર બાબતે શંકા કરી ઝઘડો કર્યેા હતો તેઓ આક્ષેપના માતાએ કર્યેા છે.બીજી તરફ આ ઘટનામાં હજુ કિર્તીબા ભાનમાં આવ્યા ન હોય પોલીસે મહેન્દ્રસિંહ સામે ગુનો નોંધી નથી પ્રીતિબાના નિવેદન બાદ પોલીસ કાયદેસરની કાર્યવાહી કરશે. આ અંગે વધુ તપાસ માલવીયાનગર પોલીસ સ્ટેશનના એ.એસ.આઈ કે.યુ. વાળા ચલાવી રહ્યા છે


છરી લઈ રાહદારી વાહન ચાલકો પાછળ દોડતા નાસભાગ
ઉદયનગરમાં રહેતો મહેન્દ્રસિંહ જાડેજા પત્નીને છરીના ઘા ઝીંકયા બાદ પોતાની જાતે ગળાના ભાગે છરીના ઘા મારી દીધા હતા. દરમિયાન તે અહીં રોડ પર ઇજાગ્રસ્ત હાલતમાં પડયો હતો. થોડીવાર બાદ તે ફરી ઉભો થયો હતો અને છરી લઈ અહીંથી પસાર થનાર વાહન ચાલક અને રાહદારી પાછળ દોટ મુકતા અહીં નાશભાગ મચી જવા પામી હોવાનું ઘટના સ્થળે હાજર લોકો પાસેથી જાણવા મળ્યું હતું



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application