શિવ મંદિરમાં દર્શન કર્યા બાદ પ્રૌઢ ઢળી પડ્યા: પાલખીયાત્રા બાદ 24 વર્ષીય યુવકનું હાર્ટ થંભી ગયું

  • February 27, 2025 02:57 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગઈકાલે મહાશિવરાત્રી પર્વની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવતી હતી ત્યારે રાજકોટ અને ખંભાળિયાના પરિવારમાં શોક છવાયો હતો. ભગવતીપરામાં રહેતા પ્રૌઢ જૂની મામલતદાર કચેરી નજીક આવેલા શિવ મંદિરએ દર્શન કરવા માટે ગયા હતા ત્યારે દર્શન કર્યા બાદ ત્યાંજ શિવ શરણમાં ઢળી પડતા બેભાન હાલતમાં જ દમ તોડી દીધો હતો જયારે દ્વારકા જિલ્લાના જામ ખંભાળિયામાં રામનાથ મહાદેવની પાલખીયાત્રા પુરી કરી ઘરે પહોંચતા 24 વર્ષીય યુવકની ઉલ્ટીઓ થયા બાદ બેભાન હાલતમાં મુત્યુ થયું હતું.


પ્રાપ્ત વિગત મુજબ ભગવતીપરામાં રહેતા અને પીડબલ્યુડીમાં પ્યુન તરીકે નિવૃત્તિ બાદ નોકરી કરતા મનસુખભાઈ દેવશીભાઇ ચાવડા (ઉ.વ.60) નામના પ્રૌઢ ગઈકાલે શિવરાત્રી હોવાથી જૂની મામલતદાર કચેરી પાસે આવેલા શિવ મંદિરમાં દર્શન કરવા માટે ગયા હતા ત્યા દર્શન કર્યા બાદ અચાનક જ ઢળી પડતા બેભાન હાલતમાં સિવિમાં ખસેડાતા ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. મૃતક પાંચ ભાઈ ત્રણ બહેનમાં ત્રીજા નંબરે હતા અને સંતાનમાં બે પુત્ર એક પુત્રી છે. હાર્ટ અટેક આવી ગયાનું પરિવારજનોએ જણાવ્યું હતું. બનાવના પગલે પોલીસે જરૂરી કાગળો કર્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application