ધ્રોલ પાસેથી નશીલા પદાર્થના બે વિક્રેતાઓને ઝડપી લીધા પછી તેનો સાગરીત જામનગરમાથી ઝડપાયો

  • April 20, 2024 10:37 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરની એસ.ઓ.જી. શાખા દ્વારા કાર્યવાહી કરાઈ


જામનગરની એસ.ઓ.જી. શાખા દ્વારા નો ડ્રગ્સ ઇન જામનગર અભિયાન શરૂ કર્યું છે, જેના અનુસંધાને જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર વોચ ગોઠવી નશીલા પદાર્થ બે કિલો જેટલા ગાંજા ના જથ્થા સાથે ધ્રોળ અને જામનગર તરફ આવી રહેલા બે શખ્સોને અટકાયતમાં લઈ લીધા હતા, જે પ્રકરણમાં તેઓના વધુ એક સાથીદારની જામનગરમાંથી અટકાયત કરી લેવામાં આવી છે.


જામનગરની એસ.ઓ.જી શાખા ની ટુકડીએ ચોક્કસ બાતમીના આધારે વોચ ગોઠવી ધ્રોલમાં રહેતા શાહનવાજ ઇબ્રાહીમભાઇ શાહમદાર તેમજ જામનગરમાં રહેતા જાવીદ હાજીભાઈ ચાવડાની નસીલા પદાર્થ ગાંજાનો બે કિલો જેટલા જથ્થા સાથે અટકાયત કરી લીધી હતી.


જે  બંનેની વિશેષ પૂછપરછ દરમિયાન આ ગાંજાના જથ્થાની હેરાફેરીમાં જામનગરમાં કાલાવડ નાકા બહાર રબ્બાની પાર્ક વિસ્તારમાં રહેતો સાજીદ યાસીનભાઈ ગજીયા નામનો શખ્સ સંડોવાયેલો હોવાથી તેને ફરારી જાહેર કરાયા પછી એસ.ઓ.જી.ની ટુકડીએ જામનગરમાં રબાની પાર્ક વિસ્તારમાં વોચ ગોઠવી તેને ઝડપી લીધો હતો, અને ધ્રોલ પોલીસ મથકમાં સુપ્રત કરી દીધો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application