યુઝવેન્દ્ર સાથે છૂટાછેડા બાદ ધનશ્રીની ઉર્ફી સાથે દોસ્તી વધી

  • March 10, 2025 12:31 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

યુઝવેન્દ્રથી અલગ પડ્યા પછી ધનશ્રી વર્માની નજદીકિયા ઉર્ફી જાવેદ સાથે વધી છે. ઈન્ડિયન ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ અને તેની પત્ની ધનશ્રી વર્માના ફ્રેબ્રુઆરી 2025માં છુટાછેડા થયા હતા. બંન્નેના ડિસેમ્બર 2020ના રોજ ગુરુગ્રામમાં લગ્ન થયા હતા. ધનશ્રી વર્મા યુટ્યુબર અને ડાન્સર છે. છૂટાછેડા બાદ મુશ્કિલ સમયમાંથી પસાર થઈ રહી છે. અને આનો ખુલાસો ઉર્ફી જાવેદે કર્યો છે.

ઉર્ફીએ કહ્યું કે યુઝવેન્દ્ર ચહલ સાથે છૂટાછેડા બાદ ધનશ્રી વર્મા મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહી હતી ધનશ્રી વર્માના ચર્ચામાં છે. તેના ઈન્ડિયન ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ સાથે છૂટાછેડા થયા છે. સોશિયલ મીડિયા પર મોટાભાગના લોકો ધનશ્રી વર્માને દોષ આપી રહ્યા છે. આ વચ્ચે ઉર્ફી જાવેદે તેનો સપોર્ટ કર્યો હતો. ત્યારબાદ તેનો આભાર માન્યો હતો.

ઉર્ફી જાવેદે કહ્યું કે, તેમણે ધનશ્રી વર્માનો સપોર્ટ કર્યો હતો. ઉર્ફીએ કહ્યું કે ધનશ્રી વર્માએ તાજેતરમાં જ તેમનો સંપર્ક કર્યો હતો. પતિ યુઝવેન્દ્ર ચહલ સાથે છૂટાછેડાની કાર્યવાહી પહેલા અને પછી ધનશ્રીને સોશિયલ મીડિયા પર નિશાન બનાવવામાં આવી હતી.

આ દરમિયાન ઉર્ફીએ તેને સપોર્ટ કર્યો.ઉર્ફીએ કહ્યું, 'મેં તેના સમર્થનમાં એક સ્ટોરી પોસ્ટ કરી કારણ કે મને લાગ્યું કે તેની સાથે ખૂબ જ ખોટું વર્તન કરવામાં આવી રહ્યું છે. આ યોગ્ય નથી. મારી ફરજ છે કે મારે તેને આધાર આપવો જોઈએ.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application