જીએસટી કાઉન્સિલ દ્રારા કપડા, ઘડિયાળો, સિગારેટ, તમાકુ, ઠંડા પીણા સહિત ૧૪૮ વસ્તુઓ પર ગઠિત મંત્રીઓનું જૂથ, જીએસટી દર વધારવાની ભલામણો માટે સોશિયલ મીડિયા પર ભારે ટીકા બાદ સરકાર બેકફટ પર આવી ગઈ છે. નાણા મંત્રાલય હેઠળ આવતા સેન્ટ્રલ બોર્ડ ઓફ એકસાઈઝ કસ્ટમ્સ (સીબીઆઈસી)એ આ વસ્તુઓ પર જીએસટી દર વધારવાના સમાચારને અફવા ગણાવી છે.
સીબીઆઈસી (સેન્ટ્રલ બોર્ડ આફ ઇનડાયરેકટ ટેકિસસ એન્ડ કસ્ટમ્સ) એ જણાવ્યું હતું કે જીએસટી દરમાં ફેરફાર અંગે જીએસટી કાઉન્સિલમાં હજુ સુધી કોઈ ચર્ચા થઈ નથી અને તેને મંત્રીઓના જૂથની ભલામણો પણ મળી નથી. મંત્રીઓના જૂથે પણ હજુ સુધી તેનો અહેવાલ તૈયાર કર્યેા નથી અને તેને વિચારણા માટે કાઉન્સિલને સુપરત કર્યેા છે. આવી સ્થિતિમાં જીએસટી રેટ વધારવાના સમાચાર મીડિયામાં આવી રહ્યા છે તે અફવા છે. સીબીઆઈસી અનુસાર, જીએસટી કાઉન્સિલે જીએસટી દરને તર્કસંગત બનાવવા માટે મંત્રીઓના જૂથની રચના કરી હતી. જેમાં બિહાર, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, પશ્ચિમ બંગાળ, કર્ણાટક અને કેરળના મંત્રીઓનો સમાવેશ થાય છે અને બિહારના નાયબ મુખ્યમંત્રી તેના અધ્યક્ષ છે. જીએસટી કાઉન્સિલની અધ્યક્ષતા માનનીય નાણા પ્રધાન કરે છે અને તેમાં તમામ રાયો અને કેન્દ્રશાસિત પ્રદેશોના નાણા પ્રધાનોનો સમાવેશ થાય છે અને કાઉન્સિલ જીએસટી દરોમાં ફેરફાર કરવા માટે અધિકૃત છે. મંત્રીઓનું જૂથ ફકત તેની ભલામણો સબમિટ કરી શકે છે. સીબીઆઈસી અનુસાર, જીએસટી કાઉન્સિલે હજુ સુધી જીએસટી દરમાં ફેરફાર પર વિચાર કર્યેા નથી. કાઉન્સિલને હજુ સુધી જીઓએમની ભલામણો મળી નથી.
સીબીઆઈસીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એકસ પર જઈને જીએસટી દરમાં વધારાના સમાચારને સંપૂર્ણપણે ફગાવી દીધા. તો નાણામંત્રી નિર્મલા સીતારમણે આ સમાચારોના આ મહત્વપૂર્ણ અને સમયસર ખંડન માટે સીબીઆઈસીનો આભાર માનતા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું, મંત્રીઓના જૂથમાં સામેલ વિવિધ રાયોના નાણા મંત્રીઓ જીએસટી દરમાં ફેરફાર કરવા પર વિચાર કરી રહ્યા છે. એ પછી તમામ રાયોના નાણા પ્રધાનોની બનેલી જીએસટી કાઉન્સિલ તેની આગામી બેઠકમાં તેમની ભલામણો પર વિચાર કરશે. સલાહ આપતા નાણામંત્રીએ કહ્યું કે, અટકળોથી બચવું વધુ સાં છે.
જીએસટી કાઉન્સિલે દરોને તર્કસંગત બનાવવા માટે બિહારના નાયબ મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીની અધ્યક્ષતામાં મંત્રીઓના જૂથની રચના કરી હતી. એવું નોંધવામાં આવ્યું હતું કે મંત્રીઓના જૂથે, પરસ્પર સંમતિ પછી, ઠંડા પીણા સાથે સિગારેટ, તમાકુ અને સંબંધિત ઉત્પાદનો પર જીએસટી દર વધારીને ૩૫ ટકા કરવાનો પ્રસ્તાવ મૂકયો છે, જે હાલમાં ૨૮ ટકા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMપંજાબી ગાયક ગુરુ રંધાવા ગંભીર રીતે ઘાયલ, માથામાં અને ચહેરા પરની ઇજાથી ચાહકોની ચિંતા વધી
February 23, 2025 04:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech