સાડા ત્રણ વર્ષના લાંબા સમયના વિરહ બાદ ગગનમાંથી પોરબંદરની ધરતી ઉપર આમ મુસાફરો માટેનું સ્પાઇસ જેટનું પ્રથમ વિમાન ઉતરતા મુસાફરોને આવકારવા માટે નેતાઓ દોડી ગયા હતા.
પોરબંદરના અદ્યતન અને કરોડોના ખર્ચે બનેલા એરપોર્ટ ઉપર વર્ષોથી નિયમિત ફલાઇટ ઉડતી હતી પરંતુ છેલ્લા સાડા ત્રણ વર્ષથી વિમાની સેવા બંધ થઇ ગઇ હતી. જેને પુન: શ કરવા પૂર્વ સાંસદ રમેશ ધડુકથી માંડીને હાલના સાંસદ ડો. મનસુખ માંડવીયા અને રાજ્યસભાના સાંસદ રામભાઇ મોકરીયાથી માંડીને પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડીયાએ વારંવાર કેન્દ્ર સરકારને રજૂઆતો કરી હતી.અંતે પોરબંદરવાસીઓની આતુરતાનો અંત આવ્યો હોય તેમ આ વિમાની સેવા પુન: શ થઇ છે ત્યારે મુંબઇ-પોરબંદર-મુંબઇ સ્પાઇસ જેટની પ્રથમ ફલાઇટ એરપોર્ટ ખાતે આવી પહોંચતા ધારાસભ્ય અર્જુન મોઢવાડીયા અને પૂર્વકેબિનેટમંત્રી બાબુભાઇ બોખીરીયા સહિતના નેતાઓ દોડી ગયા હતા. મુસાફરોનું એરપોર્ટ તંત્ર દ્વારા ભારતીય સંસ્કૃતિ મુજબ લલાટે તિલક કરીને તથા પુષ્પગુચ્છ તથા ગિફટ આપીને સ્વાગત કરવામાં આવ્યુ હતુ. પ્રથમ ફલાઇટમાં મુંબઇથી ૩૭ જેટલા મુસાફરો પોરબંદર આવ્યા હતા અને પોરબંદરથી રવાના થયેલી ફલાઇટમાં ૧૭ મુસાફરોએ હવાઇ સફર કરી હતી. એપ્રિલથી અઠવાડિયામાં બે વખત મંગળવારે તથા ગુરુવારે આ ફલાઇટ ઉડાન ભરશે તેમ જાણવા મળ્યુ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationડીસામાં ગેરકાયદે ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટ કેસ, ફેક્ટરી માલિક દિપકની ઈડરથી ધરપકડ
April 01, 2025 10:03 PMભારતે કાઢી ડ્રેગનની હેકડી, શા માટે પરેશાન થઈ રહ્યું છે ચીન? હવે લંબાવે છે દોસ્તીનો હાથ
April 01, 2025 09:48 PMGUJCET 2025: પ્રોવિઝનલ આન્સર કી જાહેર, 5 એપ્રિલ સુધીમાં વાંધા રજૂ કરી શકાશે
April 01, 2025 08:38 PMગાંધીજીના પ્રપૌત્રી નીલમબેનનું 93 વર્ષની વયે નિધન, નવસારીમાં અંતિમ શ્વાસ લીધા
April 01, 2025 08:37 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech