એક દિવસની મામુલી રાહત પછી ફરી ગરમીમાં વધારો: રાજકોટ-પોરબંદરમાં ઝાકળ

  • February 07, 2024 01:16 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પવનની દિશા બદલાતા અને ઉત્તર દિશામાંથી ઠંડા પવનો ફુકાતા વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધી ગયું હતું અને વાદળો જોવા મળ્યા હતા. માત્ર એક દિવસ માટે આવેલા વાતાવરણના આ પલટાને કારણે મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થવાથી ગરમીમાં રાહત મળી હતી. પરંતુ તે માત્ર ૨૪ કલાક પૂરતી સિમિત રહી છે. ગઈકાલથી ફરી તાપમાનનો પારો ઉચકાવાનું શરૂ થઈ ગયું છે. રાજ્યના ૧૧ સેન્ટરમાં મહત્તમ તાપમાન ૩૦ થી ૩૩.૨ ડિગ્રી નોંધાયું છે. સૌથી ઊંચું તાપમાન વલસાડમાં ૩૩.૨ ડિગ્રી નોંધાયું છે.લઘુતમ તાપમાન નો પારો પણ આજે સામાન્યથી બે ડિગ્રી જેટલો ઉચકાયો છે. આજે ભુજમાં ૧૮.૮ નલિયામાં ૧૬.૧ પોરબંદરમાં ૧૭.૯ રાજકોટમાં ૧૬.૮ ડિગ્રી લઘુત્તમ તાપમાન રહ્યું છે. રાજકોટમાં લઘુતમ તાપમાન નીચે ઉતર્યું છે પરંતુ અન્ય શહેરોમાં વધારો નોંધાયો છે.
પોરબંદર અને રાજકોટમાં આજે સવારે ઝાકળ જોવા મળી હતી. રાજકોટમાં ૯૪ અને પોરબંદરમાં ૯૨% ભેજ સવારે નોંધાયો છે. જૂનાગઢમાં ૯૦% ભેજ રહેવા પામ્યો છે. ગિરનાર પર્વત ઉપર ઝાકળ જોવા મળી હતી. આજે ગિરનાર પર્વત ઉપર લઘુતમ તાપમાન ૧૨.૮ જુનાગઢમાં ૧૭.૮ અને ભવનાથ તળેટીમાં ૧૫.૮ ડીગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે.
​​​​​​​
આજે અમદાવાદ વડોદરા સુરત વલસાડ ભુજ અમરેલી ભાવનગર પોરબંદર રાજકોટ સુરેન્દ્રનગર કેશોદ સહિતના શહેરોમાં મહત્તમ તાપમાન ૩૦ ડિગ્રીને પાર કરી ગયું છે હવામાન ખાતાના જણાવ્યા મુજબ આગામી ચાર-પાંચ દિવસ સુધી વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધુ રહેશે. પરંતુ ગરમીનું જોર પણ રહેવાનું જ છે. તાપમાનમાં ખાસ મોટો ફેરફાર થવાની શક્યતા નથી. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application