વિધ્નહર્તાનું વાજતે ગાજતે સ્થાપન થયુ છે.જૂનાગઢમાં હવેલી ગલીમાં આવેલ જલારામ બાપા તથા વીરબાઈમા મંદિરમાં ગણપતિ દાદાની પીઓપીની મૂર્તિના બદલે ધાતુની મૂર્તિનું સ્થાપન કરવામાં આવ્યું છે.ભગવાનનુ વિસર્જન ન હોય તેવા હેતુ અને પર્યાવરણ જાગૃતિના ઉદ્દેશ્યથી મૂર્તિનું વિસર્જન કરવાને બદલે વર્ષભર મંદિરમાં જ રાખવામાં આવે છે.
જૂનાગઢમાં હવેલી ગલીમાં જલારામ બાપા તથા વીરબાઇ માતાના મંદિરે પીઓપી કે માટીના બદલે ધાતુની ગણપતિ દાદાની મૂર્તિ સ્થાપન કરી દસ દિવસીય ગણેશ મહોત્સવની ઉજવણીનો પ્રારભં થયો છે.ગુલાબજળ અને ગંગાજળથી મૂર્તિનું પૂજન બાદ મંદિર પરિસરમાં આરતી, મહિલા મંડળ દ્રારા સત્સગં સહિતના કાર્યક્રમ દ્રારા ૧૦ દીવસ સુધી જલારામ બાપા અને ગણપતિ બાપાની આરાધના કરવામાં આવશે. જલારામ મંદિર ટ્રસ્ટ મંડળના પ્રમુખ મહેન્દ્રભાઈ મશના જણાવ્યા મુજબ પીઓપીની મૂર્તિના વિસર્જનથી પર્યાવરણ અને નદીઓ દૂષિત થાય છે.સર્જન કર્તા ભગવાનનું વિસર્જન ન હોય તેવા હેતુથી મંદિરમાં ધાતુની મૂર્તિની સ્થાપના લોકોને અનોખી પ્રેરણા આપે છે.દસ દિવસ ગણેશ મહોત્સવ દરમિયાન ગણપતિ દાદાના ચરણોમાં ૧૧૧૧ શુદ્ધ ઘીના ચુરમાના લાડુ ધરાવવામાં આવશે. જેથી પર્યાવરણ જાગૃતિના સંદેશ સાથે દર વર્ષની જેમ આ વર્ષે પણ જલારામ મંદિરે ગણેશ મહોત્સવની ઉજવણી થશે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરોહિત-કોહલીને બાંગ્લાદેશના સ્ટાર તરફથી મળી ખાસ ભેટ, વિરાટે કહ્યું- ખૂબ ભાલો...
October 03, 2024 11:39 AMજામનગર: બિનવારસુ લાશોના મોક્ષ માટે યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું
October 03, 2024 11:37 AMમા દુર્ગાના સ્વરૂપોના ચમત્કાર પર બનેલી છે આ 6 ફિલ્મો
October 03, 2024 11:32 AMનવરાત્રિના ઉપવાસ દરમિયાન કેટલી વાર કરવું જોઈએ ફળાહાર
October 03, 2024 11:29 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech