પોરબંદર મહાનગરપાલિકા બની ગયુ છે તેમ છતાં તેની હદમાં ટોલનાકુ આવે છે તેને દૂર કરવા માટે ત્રણ ત્રણ મહિનાથી રજૂઆત થાય છે છતાં સરકારી બાબુઓ કશુ ઉકાળી શકયા નથી તેથી અંતિમ ચેતવણી આપીને જનઆંદોલન માટેની તૈયારી બતાવાઇ છે.
પોરબંદર મહાનગરપાલિકાના વહીવટદાર કમ જિલ્લા કલેકટર એસ.ડી. ધાનાણી અને મ્યુનિસિપલ કમિશ્નર એચ.જે. પ્રજાપતિને પાઠવેલા આવેદનપત્રમાં જણાવ્યુ છે કે પોરબંદર શહેર મહાત્મા ગાંધીજીનું જન્મસ્થળ છે અને આ શહેરને તા.૧-૧-૨૦૨૫ના રોજથી મહાનગરપાલિકાનો દરજ્જો પણ મળેલ છે અને મહાનગરપાલિકાનો દરજ્જો મળતાની સાથે વિવિધ જાતના વેરાઓનો વધારાનો બોજ પણ પોરબંદરની જનતાને માથે લાદી દેવામાં આવે છે. જેનાથી આપ બંને અધિકારીઓ વિદિત છો.
સચોટ જાણકારી મુજબ મહાનગરપાલિકાની હદના ૧૦ કિલોમીટરની અંદર કોઇ ટોલનાકા ન હોવા જોઇએ પરંતુ વનાણા ગામ પાસે આવેલ ટોલનાકુ ૧૦ કિલોમીટરના રેસિયામાં આવે છે. આથી આ ટોલનાકુ દૂર કરાવવાની જવાબદારી આપની છે. વેરો ઉઘરાવવામાં અને પ્રજાને દંડ કરવામાં જે તત્પરતા આપે દાખવેલ છે. તેનાથી વધારે તત્પરતા દાખવી તાકીદે આ ટોલનાકુ દૂર કરાવશો તેવી અમારી નમ્ર અપીલ છે અન્યથા ગાંધીચીંધ્યા માર્ગે ચાલવુ પડશે. તા. ૩૧-૩-૨૦૨૫ સુધીમાં પોરબંદરમાંથી આ ગેરકાયદેસરના ટોલ બુથ દૂર કરવામાં નહી આવે તો જર પડશે તો જન આંદોલન કરવુ પડશે તો તેની પણ તૈયારી બતાવવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationખંભાળિયા: દસ વર્ષ પૂર્વેના લાંચ-રીશ્વત કેસમાં આરોપીને ચાર વર્ષની સખત કેદ તથા દંડ
May 10, 2025 01:11 PMજામનગર બાયપાસ નજીક કાર અકસ્માતમાં એકનું મૃત્યુ
May 10, 2025 01:08 PMપથ્થરની વંડી ગોઠવતા ગડુ ગામના યુવાન પર હુમલો
May 10, 2025 01:05 PMજામનગર નજીક રમકડાના ડ્રોને પોલીસને ધંધે લગાડી
May 10, 2025 01:01 PMખંભાળીયા નગરપાલીકાના પુર્વ પ્રમુખના યુવાન પુત્રનો રિવોલ્વરથી ગોળી ધરબી આપઘાત
May 10, 2025 12:56 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech