અભિનેત્રી યુકિત રાંદેરિયાનું મન રાજકોટમાં મોહી ગયું

  • September 03, 2024 03:47 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


મારી સરનેમ રાંદેરિયા હોવાથી જે લોકો ભી મને મળે તે મને બહત્પ જ પૂછતા હોય છે કે તમે સિદ્ધાર્થભાઈના કાંઈ સગા છો..? અમારી સરનેમ એક છે , અમે કોઈ સંબંધી નથી ..હા, મારે તેમની સાથે કામ કરવું છે.. નજીકના સમયમાં મારા આ સ્વપનને હત્પં ચોક્કસ પૂં કરીશ.. મનની વાતોને આજકાલ સમક્ષ વ્યકત કરી હતી સૈયર મોરી ગુજરાતી ફિલ્મની મુખ્ય અભિનેત્રી યુકિત રાંદેરિયાએ. આજે આજકાલ ની મહેમાન બનેલી યુકિત રાંદેરિયાએ કઈ રીતે ફિલ્મમાં પ્રવેશ કર્યેા તે અંગે વિગતવાર વાતો કરી હતી.
મૂળ સુરતના અને બિઝનેસમેન પરિવાર ની પુત્રી યુકિત રાંદેરિયા અભ્યાસમાં પણ એટલી જ હોશિયાર, કોલેજ વખતે ત્યાં નાટકોમાં કામ કરતા થિયેટર માટે લગાવ શ થયો, ત્યારથી અભિનયની ઘુન લાગી અને મમ્મી પપ્પા એ પણ સપોર્ટ કરતાં યુકિત ફિલ્મો સુધી પહોંચી.
વધુમાં તેને જણાવ્યું હતું કે, સૈયર મોરી ફિલ્મમાં મારા અભિનયને દર્શકો તરફથી ખૂબ જ પ્રશંસા મળી ત્યારબાદ ફિલ્મો વેનીલા આઇસ્ક્રીમ, કહી દેને પ્રેમ છે આ ત્રણે ફિલ્મોમાં મુખ્ય ભૂમિકા નિભાવી સૌપ્રથમ તેને કહી દેને પ્રેમ છે એમાં બ્રેક મળ્યું પરંતુ ફિલ્મ પ્રથમ સૈયર મોરી રિલીઝ થતા તેમાં ચોટદાર અભિનયને લીધે ઓડિયન્સ છે તેના અભિનયને ખૂબ જ વખાણ્યો.
હાલમાં રાજકોટની મુલાકાતે આવેલી યુકિત રાંદરીયા જૈન ધર્મ પર બની રહેલી એક ડોકયુમેન્ટરી પર કામ કરી રહી છે. રાષ્ટ્ર્રસતં નમ્રમુનિના એક જ સંદેશ પર ચાલી રહેલી એક જ ડોકયુમેન્ટરી પર તે કામ કરી રહી છે. રાજકોટ માટે તેને ખાસ લગાવ રહેલો છે અગાઉ તેનો ફિલ્મ સૈયર મોરી ના શૂટિંગ વખતે તે એક મહિનો રાજકોટ રોકાઈ હતી .જેનું શૂટિંગ નાના અને મોટા વડા ખાતે થયું હતું. આ શૂટિંગના લીધે તે રાજકોટ વાસીઓને મળી હતી. રાજકોટના અનુભવ પરથી યુકિત એ જણાવ્યું હતું કે, મને અહીં પારિવારિક માહોલ મળી રહ્યો છે.
આ ઉપરાંત વધુ નવા બે ફિલ્મ બંને કામ કરી રહી છે જે ટૂંક સમયમાં રિલીઝ થશે. પોતાને ભાગ્યશાળી માને છે કે જેને નાનપણથી ટીવીમાં જોતી આવતી હતી તે સુપ્રિયા પાઠક સાથે તેને કામ કરવાનો મોકો જલ્દીથી મળ્યો હવે ભવિષ્યમાં પરેશ રાવલ, રત્ના પાઠક અને સિદ્ધાર્થ રાંદેરિયા સાથે કામ કરવું છે. ગુજરાતી ફિલ્મો એ તેને લોકપ્રિયતા અપાવી હોવાથી પ્રથમ પ્રેમ તો તેનો ગુજરાતી ફિલ્મ રહેશે ત્યારબાદ જો બોલીવુડમાં તક મળશે તો તે ચોક્કસ કામ કરશે તેમ યુકિતએ જણાવ્યું હતું. આજકાલની તેમની આ મુલાકાત સમયે સેવન્થ સેન્સ કોન્સેપ્ટના હારીત ઋષિ હાજર રહ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application