અભિનેત્રી રવિના ટંડને રાત્રે દારૂના નશામાં એક વૃદ્ધ મહિલા સાથે મારપીટ કરી હતી આ પછી, અભિનેત્રીને સ્થાનિક લોકો દ્વારા ઘેરી લેવામાં આવે છે અને હુમલો કરવામાં આવે છે તેવો વીડિયો ઇન્ટરનેટ પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.બોલિવૂડ એક્ટ્રેસ રવિના ટંડન હાલમાં તેના એક વીડિયોને લઈને હેડલાઈન્સમાં છે. વાસ્તવમાં, અભિનેત્રી પર એક વૃદ્ધ મહિલા અને તેના પરિવાર સાથે મારપીટ અને દુર્વ્યવહાર કરવાનો આરોપ છે. પીડિતાનો આરોપ છે કે અભિનેત્રી રવિના ટંડને રાત્રે દારૂના નશામાં તેની સાથે મારપીટ કરી હતી. આ પછી, અભિનેત્રીને સ્થાનિક લોકો દ્વારા ઘેરી લેવામાં આવી હતી. પ્રાથમિક માહિતી અનુસાર, રવીનાના ડ્રાઇવર પર રિઝવી કોલેજ પાસે કાર્ટર રોડ પર બેદરકારીપૂર્વક ડ્રાઇવિંગ અને ત્રણ લોકોને ટક્કર મારવાનો આરોપ છે. આ ઘટનાનો વિડિયો પણ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. પરંતુ વરિષ્ઠ પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે આ ઘટના ત્યારે બની જ્યારે તેમનો ડ્રાઈવર રવિના ટંડનના ઘર પાસે કારને રિવર્સમાં લઈ રહ્યો હતો, આ દરમિયાન તેનો કેટલાક લોકો સાથે ઝઘડો થયો હતો. આ પછી મામલો ગરમાયો હતો.
બહાર અવાજ સાંભળીને રવિના ટંડન બહાર આવી અને લોકોને સમજાવવાનો અને તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ લોકોએ તેને ઘેરી લીધી અને તેના પર કથિત રીતે કેટલીક મહિલાઓ દ્વારા મારપીટ કરવાનો આરોપ લગાવ્યો છે.આ દરમિયાન ત્યાં હાજર લોકો સાથે એક્ટ્રેસને ધક્કા-મુક્કી થઈ હતી. વીડિયોમાં રવિનાને એવું કહેતી સાંભળી શકાય છે કે, “મને ધક્કો ન મારશો …પ્લીઝ મને મારશો નહીં.” આ ઘટના બાદ બંને પક્ષના લોકો મુંબઈના પોલીસ સ્ટેશન પહોંચ્યા અને ત્યાં તેઓએ પોલીસને લેખિત નિવેદન આપ્યું કે તેઓ કોઈ ફરિયાદ ન કરે. હવે વરિષ્ઠ પોલીસ અધિકારી દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે મહિલાઓ દ્વારા લગાવવામાં આવેલા તમામ આરોપો પાયાવિહોણા છે અને આમાં રવીનાનો કોઈ દોષ નથી.
રવિનાનું વર્ક ફ્રન્ટ
કામની વાત કરીએ તો ‘મસ્ત-મસ્ત ગર્લ’ તરીકે પ્રખ્યાત અભિનેત્રી રવિના ટંડન ટૂંક સમયમાં ‘વેલકમ ટુ ધ જંગલ’ અને ‘ટાઈમ મશીન’માં જોવા મળશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationડીજીપી વિકાસ સહાય દ્વારા ત્રણ PIને ફરજિયાત નિવૃત્તિનો આદેશ...જાણી લો કારણ
July 04, 2024 11:53 PMઆસામમાં પૂરને કારણે અત્યાર સુધીમાં 56 લોકોના મોત, અરુણાચલમાં પણ 16 લાખથી વધુ અસરગ્રસ્ત
July 04, 2024 11:28 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech