સલાયાના દરિયામાં પ્રતિબંધ છતાં માછીમારી કરતા ત્રણ માછીમારો સામે કાર્યવાહી

  • July 10, 2024 11:05 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ચોમાસાની ઋતુમાં હાલ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલા દરિયામાં પણ કરંટ હોવાથી માછીમારી કરવા મનાઈ ફરમાવતું જાહેરનામું સક્ષમ અધિકારી દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. તેમ છતાં પણ જીવના જોખમે દરિયામાં માછીમારી કરવા ગયેલા સલાયાના રહીશ એવા ઓસમાણ સુલેમાન સંઘાર (ઉ.વ. 30), તાલબ હારુન સંઘાર (ઉ.વ. 37) અને નજીર અહમદ સંઘાર (ઉ.વ. 40) નામના ત્રણ શખ્સોને સલાયામાં આવેલા શફીઢોરા દરિયાઈ વિસ્તારમાં પરવાનગી વગર માછીમારી કરવા સબબ પોલીસે ઝડપી લઇ, ત્રણેય સામે વિવિધ કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application