અયોધ્યા રામ મંદિરના મુખ્ય પૂજારી આચાર્ય સત્યેન્દ્ર દાસનું નિધન

  • February 12, 2025 11:52 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


અયોધ્યામાં રામ જન્મભૂમિ મંદિરના મુખ્ય પૂજારી આચાર્ય સત્યેન્દ્ર દાસનું નિધન થયું છે. 34 વર્ષથી રામલલાની પૂજા કરતા સત્યેન્દ્ર દાસે આજે બુધવારે સવારે અંતિમ શ્વાસ લીધા. બ્રેઈન સ્ટ્રોક બાદ તેમને પીજીઆઈમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં તેમને અનંત માર્ગે પ્રયાણ કર્યું.
અયોધ્યામાં રામ જન્મભૂમિ મંદિર (રામ મંદિર) ના મુખ્ય પૂજારી આચાર્ય સત્યેન્દ્ર દાસનું નિધન થયું છે. હેમરેજ થતાં તેમને 3 ફેબ્રુઆરીથી લખનૌના પીજીઆઈમાં દાખલ કરવામાં આવ્યા હતા. આજે સવારે તેમણે અંતિમ શ્વાસ લીધા.
87 વર્ષીય સત્યેન્દ્ર દાસ છેલ્લા 34 વર્ષથી રામલલાની સેવા કરી રહ્યા હતા. ભવ્ય મંદિરમાં તેમના રાજ્યાભિષેક સુધી તેઓ કામચલાઉ તંબુથી રામ લલ્લાના સેવક તરીકે કામ કરતા રહ્યા. થોડા દિવસ પહેલા બ્રેઈન સ્ટ્રોકને કારણે તેમની તબિયત લથડતાં તેમને લખનૌના એસજીપીજીઆઈના ન્યુરોલોજી વિભાગમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમને હાઈ બ્લડ પ્રેશર અને ડાયાબિટીસની પણ બીમારી હતી.
સીએમ યોગી આદિત્યનાથે સત્યેન્દ્ર દાસના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. 1992માં બાબરી મસ્જિદ વિવાદ દરમિયાન, તત્કાલીન રીસીવર દ્વારા આચાર્ય સત્યેન્દ્ર દાસને મુખ્ય પુજારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.
આચાર્ય સત્યેન્દ્ર દાસના નિધન અંગે હોસ્પિટલ દ્વારા જારી કરાયેલી રિલીઝમાં કહેવામાં આવ્યું છે કે અયોધ્યા રામ મંદિરના મુખ્ય પૂજારી સત્યેન્દ્ર દાસજીએ આજે અંતિમ શ્વાસ લીધા. 3 ફેબ્રુઆરીના રોજ સ્ટ્રોક આવ્યા બાદ તેમને ગંભીર હાલતમાં ન્યુરોલોજી વોર્ડના એચડીયુમાં દાખલ કરવામાં આવ્યા હતા.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application