વેચાણવેરા અધિનિયમના ગુનાનો આરોપી ૧૮ વર્ષ બાદ પોલીસ પકડમાં

  • August 23, 2024 04:30 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


શહેરના નીલમબાગ પોલીસ મથકમાં નોંધાયેલા વેચાણવેરા અધિનિયમના ગુનામાં  છેલ્લા ૧૮ વર્ષથી નિલમબાગ   નાસતા ફરતા આરોપીને એસઓજી એ ઝડપી  લીધો હતો. 
ભાવનગર એસ.ઓ.જી. શાખાના ઇ/ચા પોલીસ ઇન્સ્પેકટર ડી.યુ સુનેસરા ના માર્ગદર્શન હેઠળપેટ્રોલિંગમાં રહેલા   પો.કોન્સ મિનાજભાઇ ગોરીને બાતમી આધારે હક્કિત મળેલ કે, ભાવનગર શહેર નિલમબાગ પોલીસ મથકમાં નોંધાયેલા ગુ.ર.નં.૭૦૦/૨૦૦૬ ગુજરાત વેચાણ વેરા અધિનિયમ ૧૯૬૯ ની કલમ ૭૫(૧) (ઝ) મુજબના ગુનામાં નાસતો  ફરતો  આરોપી  ભાલેન્દ્રસિંધ પ્રતિપાલસિંઘ સવાની (ઉ.વ-૫૦ રહે. સી/૪૩ વેસ્ટર્ન પાર્ક, ગુરૂકુપા નજીક, એચ.જી હાઇ-વે, અમદાવાદ) પાનવાડી ચોક પાસેથી  ઝડપી લઈ તેની વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરી નિલમબાગ પોલીસને હવાલે કર્યો હતો.
આ કામગીરીમાં  એસ.ઓ.જી.ના ઇ/ચા પોલીસ ઇન્સ્પેકટર ડી.યુ.સુનેસરાના માર્ગદર્શન હેઠળ એ.એસ.આઇ.ગુલમંહમદભાઇ, પો.કોન્સ. મિનાજભાઇ ગોરી, પો.કોન્સ. મહિપાલસિંહ ગોહિલ, પો.કોન્સ હરપાલસિંહ ગોહિલ, પો.કોન્સ ધર્મદીપસિંહ જાડેજા અને  ડ્રા.પો.કોન્સ સુરેન્દ્રસિંહ ગોહિલ જોડાયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application