દ્વારકા તાલુકાના શામળાસર ગામે રહેતા જસરાજભા માણેક દ્વારા ગત તારીખ ૧૩-૦૯-૨૦૨૦ ના રોજ આ વિસ્તારના ૮૦ વર્ષના એક વૃદ્ધાની એકલતાનો લાભ લઈ, અને તેણી પર બળજબરીપૂર્વક દુષ્કર્મ આચરવાની કોશિશ કરીને ચોરણી વડે તેણીના ગળાના તથા મોઢાના ભાગે આ ચોરણી વીંટાળીને ટુંપો દઈ, જાનથી મારી નાખવાની કોશિશ કરવા બાબતે વૃદ્ધાના પુત્ર દ્વારા દ્વારકા પોલીસ મથકમાં ધોરણસર ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
જે અંગે પોલીસે જસરાજભા માણેક વિરુદ્ધ આઈપીસી કલમ ૩૫૪, ૩૭૬, ૫૧૧ તથા ૫૦૭ મુજબનો ગુનો નોંધ્યો હતો. આ અંગેનો કેસ દ્વારકાના એડિશનલ સેશન્સ જજ સાહેબની કોર્ટમાં ચાલી જતા આ કેસમાં આરોપી તરફે રોકાયેલા ખંભાળિયાના સિનિયર એડવોકેટ દિલીપભાઈ એ. વ્યાસ દ્વારા કરવામાં આવેલી ધારદાર દલીલોને ગ્રાહ્ય રાખી, નામદાર કોર્ટે આરોપીને નિર્દોષ ઠેરવીને છોડી મૂકવા માટેનો હુકમ કર્યો હતો. આ કેસમાં આરોપી જસરાજભા માણેક તરફે અહીંના એડવોકેટ દિલીપભાઈ વ્યાસ રોકાયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં આવેલ સેનાની ત્રણેય પાંખ સાથે જિલ્લા વહીવટી તંત્રની એક મહત્વપૂર્ણ બેઠક
May 09, 2025 07:00 PMઅમદાવાદથી 20 જેટલી એમ્બયુલેન્સ જામનગર આવી પહોંચી
May 09, 2025 06:56 PMસિંધુ જળ સંધિ પર પાકિસ્તાનને મોટો ઝટકો, વિશ્વ બેંકે કહ્યું કે અમે કંઈ ન કરી શકીએ
May 09, 2025 06:24 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech