ઉત્તર પ્રદેશની સૈફઈ મેડિકલ યુનિવર્સિટીના પાંચ ડોકટરોના માર્ગ અકસ્માતમાં મોત થયા છે. આ અકસ્માત આગરા–લખનૌ એકસપ્રેસ વે પર થયો હતો. તમામ ડોકટર સ્કોર્પિયોમાં લખનઉથી આગ્રા જઈ રહ્યા હતા, આ દરમિયાન તેમની કાર ડિવાઈડર સાથે અથડાઈ અને બીજી લેનમાં પહોંચી, યાં સામેથી આવી રહેલા ટ્રક સાથે અથડાઈ. બુધવારે સવારે ૩ વાગ્યાની આસપાસ આ અકસ્માત થયો હતો.
મળતી માહિતી મુજબ, આગ્રા–લખનૌ એકસપ્રેસ વે પર કન્નૌજના તિરવા વિસ્તારમાં આજે સવારે લગભગ ૩ વાગ્યે એક ભયાનક અકસ્માત થયો હતો. અહીં, એક સ્પીડમાં આવતી સ્કોર્પિયો કાર ડિવાઈડરને અથડાયા બાદ બીજી લેનમાં પહોંચી હતી, યાં સામેથી આવતા એક ટ્રકએ તેને ટક્કર મારી હતી, પરિણામે પાંચ લોકોના મોત થયા હતા. આ અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોની ઓળખ સૈફઈ મેડિકલ યુનિવર્સિટીના ડોકટર તરીકે થઈ છે. આ તમામ પીજી વિધાર્થીઓ હતા.
આ સિવાય કારમાં સવાર એક પીજી સ્ટુડન્ટ ગંભીર રીતે ઘાયલ છે, જેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. જણાવવામાં આવી રહ્યું છે કે કારમાં સવાર તમામ લોકો લખનઉમાં એક લ સમારોહમાં હાજરી આપીને સૈફઈ પરત ફરી રહ્યા હતા.
તિરવા મેડિકલ કોલેજના પ્રિન્સિપાલ ડો. સી.પી. પાલે જણાવ્યું હતું કે યુપેડાના વાહનમાં ૬ લોકોને અહીં લાવવામાં આવ્યા હતા, જેમાંથી પાંચના મોત થયા હતા અને એક ગંભીર રીતે ઘાયલ થયો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારત પાકિસ્તાન યુદ્ધની પરિસ્થિતિ પર જામનગર જિલ્લા વહીવટી તંત્રની ચાંપતી નજર
May 09, 2025 03:04 AMભારત-પાકિસ્તાન યુદ્ધની પરિસ્થિતિ પર જામનગર જિલ્લા વહીવટી તંત્રની ચાંપતી નજર
May 09, 2025 02:39 AMભારતને કોઈ નુકસાન થયું નથી... સંરક્ષણ મંત્રાલયે પુષ્ટિ આપી
May 09, 2025 01:28 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech