આમ આદમી પાર્ટીના સદસ્યતા અભિયાન અંતર્ગત ૧૪૫ જેટલા નવા સદસ્યો જોડાયા

  • October 04, 2024 02:48 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


પોરબંદરમાં આમ આદમી પાર્ટીનું  સદસ્યતા અભિયાન અને સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યુ હતુ.
પોરબંદર જીલ્લા, તાલુકા અને શહેરમાં આમ આદમી પાર્ટીની નક્કર ઓળખ અને જનસેવા હેતુ સંગઠન વ્યાપક્તાને ધ્યાને રાખીને ગુજરાતના પ્રદેશ પ્રમુખ ઈસુદાનભાઈ ગઢવી, ગુજરાત પ્રદેશ આપના કાર્યકારી પ્રમુખ જગમાલભાઈ વાળા, સૌરાષ્ટ્ર સંગઠન પ્રભારી રાજુભાઈ બોરખતરીયા અને જિલ્લાધ્યક્ષ પરબતભાઇ બાપોદરા તેમજ પોરબંદર શહેર પ્રમુખ ચેતનભાઈ સમાણીના માર્ગદર્શન પોરબંદર આમ આદમી પાર્ટીએ શહેરની મધ્યે  આવેલ શ્રી ખાખેશ્વર મહાદેવ મંદીર ગ્રાઉન્ડમાં સદસ્યતા અભિયાન કાર્યક્રમનું આયોજન કરેલુ હતુ,આ કાર્યક્રમમાં ૧૪૫ જેટલા સદસ્યોને સદસ્યતા ગ્રહણ કરાવવા આવી હતી, જેમાં મુખ્યત્વે કોંગ્રેસના સીનિયર આગેવાન અને પ્રવકતા રહેલા ભાર્ગવભાઈ જોશીને આપના કાર્યકારી પ્રદેશ પ્રમુખ જગમાલભાઈ વાળાએ વિધિવત રીતે આમ આદમી પાર્ટીનો ખેસ પહેરાવી સ્વાગત કર્યું હતું, સદસ્યતા અભિયાન બાદ તમામ કાર્યકર્તાઓ અને આગેવાનોએ કીર્તિમંદિર ખાતે પુ.મહાત્મા ગાંધીજીના ચરણોમાં પુષ્પો અર્પણ કરીને, મસ્તક નમાવીને નમન કર્યા હતા, ત્યારબાદ માતા કસ્તુરબાના નિવાસસ્થાન સામે ’સફાઈ અભિયાન’ હેઠળ સહુ આગેવાનોએ સફાઈ હાથ ધરી હતી, જેમાં ખારવા આગેવાન જીવનભાઈ, આપ આગેવાનો જગમાલભાઈ વાળા, રાજુભાઈ બોરખતરીયા , પરબતભાઇ બાપોદરા, મે‚ભાઇ ઓડેદરા,ભાર્ગવભાઈ જોષી,ચેતનભાઇ સમાણી, ભરતભાઈ રાઠોડ, મહેમાન હનીફભાઇ, હિતેન્દ્રસિંહ, વીરેનભાઈ વગેરેએ ઝાડુથી સફાઈ કરી હતી.તેમ પોરબંદર આમ આદમી પાર્ટીના જીલ્લા પ્રમુખ પરબતભાઈ બાપોદરાએ જણાવ્યુ હતુ.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application