બિહારમાં ગુનેગારને પકડવા ગયેલા એએસઆઈની હત્યા

  • March 13, 2025 10:19 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

બિહારના અરરિયામાં કેટલાક ગ્રામજનોએ ફુલકાહા પોલીસ સ્ટેશનના એએસઆઈ રાજીવ કુમારને માર મારીને હત્યા કરી દીધી. આ ઘટના મોડી રાત્રે બની જ્યારે પોલીસ એક ગુનેગારને પકડવા માટે લક્ષ્મીપુર ગામમાં ગઈ હતી.એસપી અંજની કુમારે જણાવ્યું કે ઇન્સ્પેક્ટર રાજીવ ગુનેગારને પકડવા માટે લક્ષ્મીપુર ગયા હતા. આ દરમિયાન, ગુનેગારનું રક્ષણ કરી રહેલા ગ્રામજનો રાજીવ સાથે ઝપાઝપીમાં ઉતર્યા. આ કારણે તે ઘાયલ થયો અને નીચે પડી ગયો. તેમને સારવાર માટે હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા જ્યાં તેમનું મોત નીપજ્યું હતું. હાલમાં બિહારમાં એક પોલીસ ઇન્સ્પેક્ટરના મારપીટથી મોત બાદ હોબાળો મચી ગયો છે.


બિહારમાં એક મોટી ઘટના બની છે. અહીં એક પોલીસ ઇન્સ્પેક્ટરને બેરહેમીથી માર મારીને હત્યા કરવામાં આવી છે. પોલીસની એક ટીમ ગુનેગારને પકડવા ગઈ હતી. આ ટીમમાં ઇન્સ્પેક્ટર રાજીવ કુમાર માલનો પણ સમાવેશ થતો હતો. પરંતુ રાજીવ કુમાર પર ગામલોકોએ ઘાતકી હુમલો કર્યો હતો અને તેમની હત્યા કરી નાખી હતી. રાજીવ મોલ ફુલકાહા પોલીસ સ્ટેશનમાં પોસ્ટેડ હતા. મંગળવારે મોડી રાત્રે લગભગ ૧.૩૦ વાગ્યે, ફુલકાહા પોલીસ સ્ટેશન હેઠળના લક્ષ્મીપુર ગામમાં ગ્રામજનોની ભીડમાં અસામાજિક તત્વો દ્વારા માર મારવામાં આવતા સબ ઇન્સ્પેક્ટર રાજીવ કુમાર માલનું મૃત્યુ થયું.


આ ઘટના ત્યારે બની જ્યારે ગુપ્ત માહિતીના આધારે, ઇન્સ્પેક્ટર મોલ તેમના સાથીદારો સાથે લક્ષ્મીપુર ગામમાં એક ગુનેગારને પકડવા ગયા હતા. પોલીસને માહિતી મળી હતી કે એક લગ્ન પ્રસંગમાં આરોપી આવવાનો છે આથી પોલીસે ત્યાં દરોડો પડ્યો હતો અને તે બદમાશ પણ પકડાઈ ગયો. પણ ગામવાળા તેને છોડાવી ગયા. એવું કહેવાય છે કે આ સમય દરમિયાન, ગ્રામજનોની ભીડમાં હાજર અસામાજિક તત્વોએ ઇન્સ્પેક્ટરને ખરાબ રીતે માર માર્યો હતો. પરિણામે તેનું મૃત્યુ થયું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application