ભારત સહિત વિશ્વના ઘણા દેશોમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે એઆઇ ઝડપથી પગપેશારો કરી રહ્યું છે. જેમ જેમ એઆઇનો વ્યાપ વધતો જાય છે તેમ તેમ નોકરિયાત વર્ગની ચિંતા પણ વધી રહી છે. કેટલાક લોકો તેને નોકરીઓ માટે એક મોટી સમસ્યા માને છે, જ્યારે કેટલાક લોકો તેને તક તરીકે જુએ છે. આ અંગે વર્લ્ડ ઇકોનોમિક ફોરમના એક સર્વેમાં ચોંકાવનારા ખુલાસા થયા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, 41 ટકા કંપનીઓ ચટણી કરી કર્મચારીઓની સંખ્યા ઘટાડી શકે છે. કારણ કે એઆઇ ધીમે ધીમે તેમનું સ્થાન લેશે. ડબલ્યુઇએફના ફ્યુચર ઓફ જોબ્સ રિપોર્ટના તારણો અનુસાર, વિશ્વભરમાં સર્વે કરાયેલી સેંકડો મોટી કંપનીઓમાંથી 77 ટકાએ કહ્યું કે, તેઓ 2025-2030ની વચ્ચે તેમના હાલના કર્મચારીઓને એઆઇ સાથે વધુ સારી નોકરીઓ કરવા માટે ફરીથી કૌશલ્યવાન બનાવશે. જેમાં કર્મચારીઓને તાલીમ આપી અપગ્રેડ કરવામાં આવશે.
વર્ષ 2023થી વિપરીત, આ વર્ષના અહેવાલમાં એવું કહેવામાં આવ્યું નથી કે, એઆઇ સહિતની મોટાભાગની ટેકનિકલ નોકરીઓની સંખ્યા પર કોઈ હકારાત્મક અસર કરે તેવી અપેક્ષા છે.
આ મહિનાના અંતમાં દાવોસમાં યોજાનારી વાર્ષિક બેઠક પહેલા ડબલ્યુઇએફએ એક પ્રેસ રિલીઝમાં જણાવ્યું હતું કે, એઆઇ અને નવીનીકરણીય ઊર્જામાં પ્રગતિ (શ્રમ) બજારને ફરીથી આકાર આપી રહી છે. ઘણી ટેક્નોલોજી અથવા નિષ્ણાંત લોકોની નોકરીની માંગ વધી રહી છે, જ્યારે ગ્રાફિક ડિઝાઇનર્સની નોકરીની માંગ ઘટી રહી છે.
ફોરમના મેનેજિંગ ડિરેક્ટર સાદિયા ઝાહિદી તમામ ક્ષેત્રોમાં ઉદ્યોગો અને કાર્યોને ફરીથી આકાર આપવામાં જનરેટિવ એઆઇની ભૂમિકા પર હકારાત્મક વલણ ધરાવે છે. આ ટેક્નોલોજી વપરાશકર્તાઓના સંકેતોના પ્રતિભાવમાં મૂળ ટેક્સ્ટ, તસવીરો અને અન્ય સામગ્રી બનાવી શકે છે. કંપનીઓ પોસ્ટલ સર્વિસ ક્લાર્ક, એક્ઝિક્યુટિવ સેક્રેટરી અને પેરોલ ક્લાર્ક જેવી નોકરીઓ સૌથી ઝડપી ઘટાડી શકે છે. પછી ભલે તે એઆઇના ફેલાવાને કારણે હોય કે અન્ય વલણોને કારણે.
ગ્રાફિક ડિઝાઇનર્સ અને કાનૂની સચિવો બંને ટોચની 10 સૌથી ઝડપથી ઘટતી નોકરીની ભૂમિકાઓની બહાર છે, જે ફ્યુચર ઓફ જોબ્સ રિપોર્ટની અગાઉના અહેવાલમાં જોવા ન મળેલી પહેલી વારની આગાહી છે, રિપોર્ટમાં જણાવાયું છે. આ જનરેટિવ એઆઇની કાર્યો કરવાની વધતી ક્ષમતાને પ્રતિબિંબિત કરી શકે છે. આનાથી વિપરીત એઆઇ કૌશલ્યની માંગ સતત વધી રહી છે. ગયા વર્ષે હાથ ધરાયેલા તાજેતરના સર્વે મુજબ, લગભગ 70 ટકા કંપનીઓ એઆઇ ટૂલ્સ અને તેને લગતી ડિઝાઇન કરવાની કુશળતા ધરાવતા નવા કર્મચારીઓને નોકરી પર રાખવાની યોજના બનાવી રહી છે. જ્યારે 62 ટકા કંપનીઓ એઆઇ સાથે વધુ સારી રીતે કામ કરવાની કુશળતા ધરાવતા વધુ લોકોને નોકરી પર રાખવાની યોજના બનાવી રહી છે.
પરંતુ કેટલાય કર્મચારીઓની જગ્યા પહેલાથી જ એઆઇએ લઈ લીધી છે. તાજેતરના વર્ષોમાં, ફાઇલ સ્ટોરેજ સેવા ડ્રૉપબૉક્સ અને ભાષા શીખવાની એપ્લિકેશન ડ્યુઓલિંગો સહિતની કેટલીક ટેક કંપનીઓએ છટણી માટે એઆઇને કારણભૂત ગણાવ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationખંભાળીયાની હાઈવે પર આવેલ મઢુલી હોટલ પર લૂખા તત્વોનો અંદરો અંદર ડખો
March 31, 2025 06:35 PMરીક્ષા ચાલક યુવાનની હત્યા કેસના આરોપીને પકડવામાં પોલીસ સફળ..
March 31, 2025 06:05 PMધ્રોલ તાલુકાના ધ્રાંગડા ગામ ની સીમમાં ખનીજ ચોરી નું મસ્ત મોટું કૌભાંડ..
March 31, 2025 05:37 PMજામનગરમાં ચેઈન સ્નેચિંગના આરોપીઓ ઝડપાયા
March 31, 2025 05:19 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech