હવે પ્રજ્ઞા ચક્ષુઓને માર્ગ બતાવશે એઆઇ ચશ્માં!

  • January 08, 2024 01:38 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અત્યાર સુધી અંધજનોને માર્ગદર્શન આપવા માટે લાકડીનો ઉપયોગ થતો હતો. હવે તેમના માટે સ્માર્ટ વિઝન ચશ્મા એટલે કે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ચશ્મા બની ગયા છે. તે તેમને દરેક પગલે માર્ગ બતાવશે. બિલાસપુર સિમ્સના ડોકટરોએ જણાવ્યું કે ચાર વર્ષ પહેલા ઈઝરાયેલ અને અમેરિકામાં આવા ચશ્મા બનાવવામાં આવ્યા હતા. ભારતમાં તેની શોધ દિલ્હીના વરિ નેત્ર ચિકિત્સક ડો. રાકેશ જોશી દ્રારા કરવામાં આવી છે, જેમાં વધુ સારી ટેકનોલોજી અને ઓછી કિંમત છે.આ ચશ્મા છ મહિના પહેલા લોન્ચ કરવામાં આવ્યા હતા . આ ચશ્મા દેશના ૧.૫ કરોડ અધં લોકો માટે ઉપયોગી થઈ શકે છે.
ડો.જોશીના જણાવ્યા પ્રમાણે ચશ્મા ૫ મોડ પર કામ કરે છે. તેમાં પાંચ બટન છે. પહેલું બટન દબાવવા પર ચશ્મા તમને કહેશે કે સામે શું છે. બીજો રીડિંગ મોડ છે જે પુસ્તક, ન્યૂસ પેપર વાંચીને સંભળાવશે ત્રીજું વોકિંગ મોડ છે. એટલે કે, ત્રીજું બટન દબાવવા પર, તમને ત્રણ મીટરના અંતરમાં શું છે તેની માહિતી મળશે. ચોથો મોડ ચહેરાની ઓળખ કરાવશે. મહત્વનું છે કે ઈઝરાયેલ અને અમેરિકામાં ઉત્પાદિત ચશ્મામાં ૫ થી ૮ ભાષાઓ ફીડ કરવામાં આવી છે, યારે ડો. જોશીએ ૭૨ ભાષાઓને ફીડ કરી છે. આ ચશ્મા મોબાઈલ એપ દ્રારા કામ કરે છે. અમેરિકન અને ઈઝરાયેલના ચશ્માની કિંમત સાડા છ લાખ પિયા છે. ડો.જોષીએ તેની કિંમત ૪૮ હજાર પિયા રાખી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application