દિલ્હીની આમ આદમી પાર્ટીએ એક મોટી જાહેરાત કરી છે. સીએમ આતિશીએ કહ્યું કે સોમવારે સવારે 6 વાગ્યાથી તમામ મંત્રીઓ, ધારાસભ્યો અને અધિકારીઓ રસ્તા પર ઉતરશે. તમામ મંત્રીઓ એક સપ્તાહમાં PWDના 1400 કિલોમીટરના રોડ પર દરેક મીટરનું નિરીક્ષણ કરશે. નિરીક્ષણ બાદ PWDને આ રસ્તાઓને ખાડાઓથી મુક્ત કરવાનો ટાર્ગેટ આપવામાં આવ્યો છે.
CM આતિશીએ કહ્યું કે, અમે દિવાળી સુધીમાં સમગ્ર દિલ્હીને ખાડામુક્ત બનાવીશું. અરવિંદ કેજરીવાલે રસ્તાઓની હાલતને લઈને સીએમ આતિશીને પત્ર લખ્યો હતો. ત્યારબાદ આમ આદમી પાર્ટીની ઓલ મિનિસ્ટર મીટિંગમાં દિલ્હીના રસ્તાઓનું નિરીક્ષણ અને સમારકામ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જેના કારણે તમામ મંત્રીઓને અલગ-અલગ ક્ષેત્રોની જવાબદારી સોંપવામાં આવી હતી.
"રસ્તાઓ ઠીક કરવામાં આવશે"
દિલ્હીના સીએમ આતિશીએ કહ્યું કે છેલ્લા 2 દિવસથી અરવિંદ કેજરીવાલજી અને હું દિલ્હીના અલગ-અલગ ભાગોમાં રસ્તાઓનું નિરીક્ષણ કરવા ગયા હતા અને અમે સમજી ગયા કે રસ્તાઓની હાલત ખૂબ જ ખરાબ છે, રસ્તામાં ખાડાઓ છે. આતિશીએ વધુમાં કહ્યું કે, શુક્રવારે અરવિંદ કેજરીવાલજીએ વિધાનસભામાં એક પત્ર આપ્યો હતો અને કહ્યું હતું કે રસ્તાઓનું સમારકામ યુદ્ધના ધોરણે કરવામાં આવશે.
સીએમ દક્ષિણ અને દક્ષિણ પૂર્વ દિલ્હી જશે
સીએમ આતિશીએ કહ્યું, અમે આજે દિલ્હી સચિવાલયમાં મંત્રીઓની બેઠક યોજી હતી અને 1400 કિલોમીટર PWD રસ્તાઓની સમીક્ષા કરી હતી. સીએમએ જાહેરાત કરી કે સોમવારથી તમામ મંત્રીઓ રસ્તા પર ઉતરશે, હું પોતે દક્ષિણ અને દક્ષિણ પૂર્વ દિલ્હી જઈશ. અમે શેરીઓમાં જઈશું અને જોઈશું કે ક્યાં અને શું જરૂરી છે. પાર્ટીએ દિવાળી સુધીમાં દિલ્હીને ખાડામુક્ત બનાવવાનું લક્ષ્ય રાખ્યું છે.
મુખ્યમંત્રી અને મંત્રીઓએ આ વિસ્તારોમાં રસ્તાઓની જવાબદારી વહેંચી હતી
સીએમ આતિશી- દક્ષિણ અને દક્ષિણ પૂર્વ દિલ્હી જશે
સૌરભ ભારદ્વાજ- પૂર્વ દિલ્હી જશે
ગોપાલ રાય- ઉત્તર પૂર્વ દિલ્હી જશે
કૈલાશ ગેહલોત- પશ્ચિમ અને દક્ષિણ પશ્ચિમ દિલ્હી જશે
મુકેશ અહલાવત- ઉત્તર અને ઉત્તર પશ્ચિમ દિલ્હી જશે
ઈમરાન હુસૈન- મધ્ય અને નવી દિલ્હી જશે
કેજરીવાલે પત્ર લખ્યો હતો
અરવિંદ કેજરીવાલે 27 સપ્ટેમ્બરે સીએમ આતિશીને પત્ર લખીને કહ્યું હતું કે, છેલ્લા બે દિવસથી હું દિલ્હીના રસ્તાઓનું નિરીક્ષણ કરવા ગયો હતો અને રસ્તાઓની હાલત ખૂબ જ ખરાબ છે. માર્ચ મહિનામાં જ્યારે મારી ધરપકડ કરવામાં આવી ત્યારે રસ્તાઓ સારા હતા. કેજરીવાલે કહ્યું કે, આ વખતે ઘણો વરસાદ થયો જેના કારણે દિલ્હીના રસ્તાઓ ખરાબ થઈ ગયા. તેમણે સીએમ આતિશીને તમામ મંત્રીઓ સાથે મળીને રસ્તાઓનું નિરીક્ષણ કરવા અને કયા રસ્તાઓ ખરાબ છે તે જોવા અને તેને તાત્કાલિક રિપેર કરાવવા કહ્યું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકઠુઆમાં રેલી દરમિયાન મલ્લિકાર્જુન ખડગેની તબિયત લથડી
September 29, 2024 06:25 PMદિવસભર શરીરમાં એનર્જી જાળવી રાખવા માટે સવારે કરો આ યોગાસન
September 29, 2024 05:55 PMઆ છે દારૂની સૌથી જૂની બોટલ, વર્ષ નહી પણ કરવો પડશે પેઢીઓનો હિસાબ
September 29, 2024 04:35 PMAAP સરકાર આવતીકાલે સવારે 6 વાગ્યાથી રસ્તા પર ઉતરશે, CM આતિશીથી લઈને મંત્રીઓ કરશે નિરીક્ષણ
September 29, 2024 04:15 PMરાજકોટમાં લોધાવાડ ચોક પાસે મહિલા મુસાફરની થેલીમાંથી રિક્ષાચાલકે આ રીતે મોબાઈલ સેરવી લીધો, જુઓ CCTV
September 29, 2024 02:11 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech