જામનગર જિલ્લાના લાલપુરમાં નાંદુરી રોડ પર રહેતા એક યુવાને પોતાના ઘેર ઝેરી દવા પી લઈ આત્મહત્યા કરી લીધી છે. આર્થિક સંકળામણના કારણે આ પગલું ભરી લીધું હોવાનું પોલીસમાં જાહેર થયું છે.
આ બનાવની વિગત એવી છે કે લાલપુરના નાંદુરી રોડ પર રહેતા અને બેંકમાં પટાવાળા તરીકે નોકરી કરી ચૂકેલા હિરેન પ્રેમજીભાઈ ચાવડા નામના ૨૬ વર્ષના યુવાને પોતાના ઘેર ઝેરી દવા પી લઈ આત્મહત્યાનો પ્રયાસ કરતાં તેને સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જયાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ નીપજ્યું છે.
આ બનાવ અંગે મૃતક ના પિતા પ્રેમજીભાઈ વાલજીભાઈ ચાવડાએ પોલીસને જાણ કરતાં લાલપુરના પોલીસ હેડ કોન્સ્ટેબલ એ.એમ. જાડેજાએ જી.જી. હોસ્પિટલમાં પહોંચી જઈ મૃતદેહ નો કબજો સંભાળ્યો છે, અને પોસ્ટ મોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસમાં જાહેર કરાયા અનુસાર મૃતક યુવાન અગાઉ બેંકમાં પટાવાળા તરીકે નોકરી કરતો હતો, અને તેણે બેંકમાંથી એકથી વધુ લોન પણ લીધેલી હતી, પરંતુ હાલ આર્થિક સંકટમાં આવી જતાં આ પગલું ભરી લીધાનું અનુમાન લગાવવામાં આવ્યું છે. જે દિશા માં પોલીસ તપાસ ચલાવી રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર: ભારત પાકિસ્તાન વચ્ચે તળાવને લઈને દરિયાકાંઠે ચુસ્ત પોલીસ બંદોબસ્ત
May 09, 2025 05:30 PMભરતનગરમાં વરસાદનું વિઘ્ન હટતા મસ્જિદનું દબાણ દૂર કરવા કાર્યવાહી
May 09, 2025 04:59 PMભાવનગર ડાયમન્ડ એસો. ના પ્રમુખ સામે ગુનો દાખલ થતા હિરાના વેપારીઓએ વિરોધદર્શક બંધ પાળ્યો
May 09, 2025 04:54 PM‘કાતર કેમ મારે છે’ કહીં પાંચ શખ્સોએ યુવાનનું ઢીમ ઢાળી દીધું
May 09, 2025 04:35 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech