રાજકોટમાં નવલનગર વિસ્તારમાં રહેતા યુવાને ઓરડીમાં લાકડાની આડીમાં દોરી વડે ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. બનાવની જાણ થતા માલવીયાનગર પોલીસે અહીં પહોંચી જરી કાર્યવાહી કરી હતી. યુવાન છેલ્લા ઘણા દિવસોથી ગુમસૂમ રહેતો હોય અને કઈં કામધંધો પણ કરતો ન હોવાનું માલુમ પડું છે. હતાશામાં તેણે આ પગલું ભરી લીધું હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.
આપઘાતના આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ મવડી પ્લોટ વિસ્તારમાં અશોક પાનની સામે નવલનગર શેરી નંબર ૯ માં રહેતા દિનેશ દેવરાજભાઈ ચાવડા (ઉ.વ ૪૦) નામના યુવાને ગઈ કાલ સમી સાંજના પોતાના ઘરે ઓરડીમાં લાકડાની આડીમાં દોરી વડે ગળાફાંસો ખાઈ લીધો હતો જે અંગેની જાણ થતા ૧૦૮ ની ટીમે અહીં પહોંચી જોઈ તપાસી યુવાને મૃત જાહેર કર્યેા હતો.બાદમાં માલવીયાનગર પોલીસ સ્ટેશનના એએસઆઇ ડી.જી.ઝાલાએ અહીં પહોંચી જરી કાર્યવાહી કરી યુવાનના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડો હતો.
આપઘાતના આ બનાવની વધુમાં જાણવા મળતી વિગતો મુજબ, આપઘાત કરી લેનાર દિનેશ ત્રણ ભાઈના પરિવારમાં વચેટ હતો તેને સંતાનમાં બે પુત્ર અને બે પુત્રી છે. ગઈકાલે યુવાનના પરિવારજનો થોરીયાળી ગામે માતાજીના મંદિરે દર્શન માટે ગયા હતા દરમિયાન પાછળથી તેણે આ પગલું ભરી લીધું હતું. યુવાન છેલ્લા ઘણા દિવસોથી ગુમસૂમ રહેતો હોય અને કામ ધંધો પણ કરતો ન હોય હતાશામાં આ પગલું ભરી લીધું હોવાનું માલુમ પડું છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમોદી સરકાર નક્સલવાદ સામે મોટા ઓપરેશનની કરી રહી છે તૈયારી, અમિત શાહ દિલ્હીમાં બનાવશે માસ્ટર પ્લાન
October 05, 2024 08:16 PMNobel Prize 2024: આવતા અઠવાડિયે નોબેલ પુરસ્કારની થશે જાહેરાત, જાણો કોનું થશે સન્માન...
October 05, 2024 08:15 PMએક સાથે પંદર હોમગાર્ડઝ સભ્યોને ફરજ મોકૂફ અને એક સભ્યને બરતરફ કરતાં જામનગર જિલ્લા હોમગાર્ડઝ કમાન્ડન્ટ
October 05, 2024 06:52 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech