નશાના ગુનામાં ઝડપાયેલા યુવાનનું લોકઅપમાં મોત

  • January 20, 2024 04:59 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભાવનગર ઘોઘારોડ પોલીસમાં લોકઅપમાં રહેલા યુવાનની તબિયત લથડતા ૧૦૮ માં હોસ્પિટલ ખસેડાયો હતો. જેનું હોસ્પિટલ ખાતે મોત નીપજતા પોલીસે પરિવારજનોને જાણ કરી કાર્યવાહી હાથ ધરી હતી.

ભાવનગર ઘોઘારોડ પોલીસે નશાના ગુનામાં ઝડપેલા યુવાનની લોકઅપમાં તબિયત લથડતા હોસ્પીટલ ખાતે મોત નીપજ્યું હતું. બનાવ અંગે ઘોઘારોડ પોલીસ મથક ખાતેથી જાણવા મળતી માહિતી અનુસાર ઘોઘારોડ પોલીસ મથકની ટીમ નશો કરેલી હાલતે સંજયભાઈ પ્રભુભાઈ ચૌહાણ (ઉ.વ.૩૮, રહે.સવાભાઈનો ચોક, ખેડૂતવાસ, રૂવાપરી રોડ)ને ઝડપી કાર્યવાહી માટે લોકઅપમાં રાખવામાં આવ્યો હતો. જેની આજરોજ સવારે ૯:૧૫ કલાકમાં સુમરે લોકઅપમાં તબિયત લથડતા પોલીસ સ્ટાફ દ્વારા તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સને જાણ કરી સર ટી હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો. જ્યાં સારવારમાં ફરજ પરના તબીબે મરણ ગયેલ જાહેર કરાયા હતા. જે અંગે પોલીસ દ્વારા મૃતકના પરિવારજનોને જાણ કરાતા પરિવારજનો હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. અને શખ્સના મોતની ઘટનાને લઇ હોસ્પિટલ પોલીસ ચોકી ખાતે નોંધ કરી ઘોઘારોડ પોલીસને જરૂરી કેસ કાગળો મોકલાવી આપી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application