વનાણાંમાં જંતુનાશક દવાનો છંટકાવ કરી રહેલી યુવતીનું ઝેરી અસરથી મૃત્યુ

  • February 21, 2025 12:04 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકા ના વનાણાં ગામમાં રહીને ખેતી કામ કરતી સંગીતાબેન દિનેશભાઈ બધેલ નામની ૨૫ વર્ષની ભીલ જ્ઞાતિની શ્રમિક યુવતી રમેશભાઈ નામના ખેડૂતની વાડીમાં પાકમાં જંતુનાશક દવાનો છંટકાવ કરી રહી હતી, જે દરમિયાન તેણીને ઝેરી અસર થઈ હતી.


જેને સૌપ્રથમ ૧૦૮ નંબરની એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે જામજોધપુરની સરકારી  હોસ્પિટલમાં અને ત્યારબાદ વધુ સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જયાં સારવાર દરમિયાન તેણીનું મૃત્યુ નિપજ્યું છે.

આ બનાવ અંગે મૃતકના પતિ દિનેશભાઈ માંગીલાલે પોલીસને જાણ કરતાં શેઠ વડાળા પોલીસે જી.જી. હોસ્પિટલમાં દોડી જઈ મૃતદેહ નો કબજો સંભાળ્યો છે, અને સમગ્ર બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application