રાજકોટમાં વધુ એક યુવાનનું હૃદયરોગના હુમલાથી મૃત્યુ થયું હોવાનું સામે આવ્યું છે. શહેરની ભાગોળે સરધાર ગામ પાસે જીનીંગ કારખાનામાં કામ કરનાર પરપ્રાંતીય યુવાન આજરોજ સવારના સુમારે બેભાન થઈ ગયા બાદ તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવતા અહીં તેને મૃત જાહેર કર્યો હતો. યુવાનનું મોત હૃદયરોગના હુમલાથી થયું હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે.
જાણવા મળતી વિગતો મુજબ, રાજકોટની ભાગોળે સરધાર ગામ નજીક આવેલા કિસાન જિનિંગ મિલ કારખાનામાં કામ કરનાર મૂળ છોટે ઉદેપુરનો વતની રંગલા રામસિંગભાઈ રાઠવા(ઉ.વ 35) નામનો યુવાન આજરોજ સવારના સુમારે અહીં બેભાન થઈ જતા તેને સારવાર માટે સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબે જોઈ તપાસી યુવાનને મૃત જાહેર કર્યો હતો. યુવાન ત્રણ ભાઈ ત્રણ બહેનના પરિવારમાં નાનો હતો તેને સંતાનમાં બે પુત્રી છે મૂળ છોટે ઉદેપુરનો વતની યુવાન છેલ્લા સાતેક વર્ષથી અહીં જિનિંગ મિલમાં મજૂરી કામ કરતો હોવાનું પડ્યું છે. પ્રાથમિક તારણ મુજબ હૃદય રોગના હુમલાથી યુવાનનું મોત થયું હોવાનું માલુમ પડ્યું છે.
જ્યારે અન્ય એક બનાવમાં રાજકોટના ભગવતીપરા વિસ્તારમાં રહેતો શૈલેષ ધીરૂભાઈ મેસરીયા(ઉ.વ 40) નામનો યુવાન સવારના સુમારે ઘરે બેભાન થઈ ગયા બાદ તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જ્યાં સારવાર કારગત નિવૃત તે પૂર્વે યુવાનનું મોત થયું હતું. બનાવના પગલે હોસ્પિટલ ચોકીના સ્ટાફે જરૂરી કાર્યવાહી કરી હતી. યુવાન ચાર ભાઈ એક બહેનના પરિવારમાં વચેટ હતો તેને સંતાનમાં બે પુત્ર અને એક પુત્રી છે યુવાન કલર કામ કરી પરિવારનું ગુજરાત ચલાવતો હતો. યુવાનને છેલ્લા ઘણા સમયથી લીવરની બીમારી હોય અને છેલ્લા ઘણા દિવસોથી પથારીવશ હતો બિમારી સબબ યુવાનનું મોત થયું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસેન્સેક્સ 80 હજારને પાર થતાં CJI DY ચંદ્રચુડ ખુશ, SEBIને આપી સલાહ
July 04, 2024 03:27 PMરાજકોટ CPનો વિચિત્ર નિર્ણય, પોલીસ કમિશનર કચેરીમાં મીડિયાને પ્રવેશબંધી
July 04, 2024 03:27 PMશાપર વેરાવળ પાસે આવેલ પારડી ગામ નજીક ટ્રકમાં લાગી આગ
July 04, 2024 03:25 PMરાજકોટ શહેરના બહુમાળી ભવન ચોક ખાતે ગત રાતે સઘન ચેકીંગ..
July 04, 2024 03:23 PMરાજકોટમાં કોઠારીયા રોડ પર મહાદેવના મંદિરમાં ચોરી, દાનપેટીમાંથી રોકડ રકમ ગાયબ
July 04, 2024 03:22 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech