ભાવનગર શહેરના આખલોલ જકાતનાકા પાસે રહેતા યુવાન પર ઘર મેળે સમાધાન થઇ ગયાની દાઝ રાખી છરી વડે હુમલો કરાતા વરતેજ પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી.
આ બનાવ અંગે મળતી માહિતી અનુસાર એકાદ મહીના પહેલા પ્રકાશ ઉર્ફે પકો કાનજીભાઇ બોરીચા ફરિયાદીના ઘરની સામે મોટર સાયકલ લઇને નીકળતો હોય અને હોર્ન મારતો હોય અને ફરિયાદીની જુવાન દિકરીઓ હોય જેથી આ બાબતે ફરીએ ઠપકો આપેલ માથાકૂટ થઇ હતી. જેનું ઘરમેળે સમાધાન થઇ ગયેલ જે બાબતની દાઝ રાખી ગત તા ૨૬/૦૨/૨૦૨૪ ના રાત્રીના આશરે સાડા સાતેક વાગ્યે પ્રકાશ ફરિયાદી બદાભાઈ ઉર્ફે હીરાભાઈ ભીમાભાઈ મકવાણા (ઉ.વ ૪૭, રહે. ઇન્દીરાનગર, શીતળામાની દેરી પાસે આખલોલ જકાતનાકા)ના ઘર પાસે આવી ગાળો દેતા બદાભાઈએ ગાળો દેવાની ના પાડતા આરોપી પ્રકાશ એકદમ ઉશ્કેરાય ગયેલ અને ફરીયાદીના પત્ની જયાબેનને પાટુ મારી તેમજ તેના દિકરા કિશનને પેટમાં જમણી બાજુ ડુટીના ઉપરના ભાગે છરીનો એક ધા મારી ગંભીર ઈજા કરી તથા જમણા હાથે છરી વડે ઈજા કરી અને જાનથી મારી નાખવાની ધમકી આપી ત્યાંથી નાસી છૂટ્યો હતો. જે બનાવ મામલે વરતેજ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationયુક્રેન શાંતિ સમજૂતીમાંથી ખસી શકે છે અમેરિકા, રશિયા-યુક્રેન વચ્ચે સહમતિ ન થતા નારાજ
April 18, 2025 07:30 PMભારતની બાંગ્લાદેશને ચેતવણી, ભારતના આંતરિક મામલામાં દખલ નહીં!, લઘુમતીઓની સુરક્ષા પર આપો ધ્યાન
April 18, 2025 07:29 PMફ્લાય ઓવરબ્રિજની કામગીરીના પગલે અંબર ચોકડી પાસે વાહન વ્યવહાર આજથી બંધ કરાયો
April 18, 2025 06:21 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech