આખલોલ જકાતનાકા પાસે યુવાન પર છરી વડે હુમલો કરાયો

  • February 27, 2024 04:57 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભાવનગર શહેરના આખલોલ જકાતનાકા પાસે રહેતા યુવાન પર ઘર મેળે સમાધાન થઇ ગયાની દાઝ રાખી છરી વડે હુમલો કરાતા વરતેજ પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી.


આ બનાવ અંગે મળતી માહિતી અનુસાર એકાદ મહીના પહેલા પ્રકાશ ઉર્ફે પકો કાનજીભાઇ બોરીચા ફરિયાદીના ઘરની સામે મોટર સાયકલ લઇને નીકળતો હોય અને હોર્ન મારતો હોય અને ફરિયાદીની જુવાન દિકરીઓ હોય જેથી આ બાબતે ફરીએ ઠપકો આપેલ માથાકૂટ થઇ હતી. જેનું ઘરમેળે સમાધાન થઇ ગયેલ જે બાબતની દાઝ રાખી ગત તા ૨૬/૦૨/૨૦૨૪ ના રાત્રીના આશરે સાડા સાતેક વાગ્યે પ્રકાશ ફરિયાદી બદાભાઈ ઉર્ફે હીરાભાઈ ભીમાભાઈ મકવાણા (ઉ.વ ૪૭, રહે. ઇન્દીરાનગર, શીતળામાની દેરી પાસે આખલોલ જકાતનાકા)ના ઘર પાસે આવી ગાળો દેતા બદાભાઈએ ગાળો દેવાની ના પાડતા આરોપી પ્રકાશ એકદમ ઉશ્કેરાય ગયેલ અને ફરીયાદીના પત્ની જયાબેનને પાટુ મારી તેમજ તેના દિકરા કિશનને પેટમાં જમણી બાજુ ડુટીના ઉપરના ભાગે છરીનો એક ધા મારી ગંભીર ઈજા કરી તથા જમણા હાથે છરી વડે ઈજા કરી અને જાનથી મારી નાખવાની ધમકી આપી ત્યાંથી નાસી છૂટ્યો હતો. જે બનાવ મામલે વરતેજ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application