માંગરોળ પિતરાઈ બહેનના લગ્નમાં ગયેલા રાજકોટના યુવકનું બેભાન હાલતમાં મોત

  • February 06, 2024 12:58 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટનો યુવક માંગરોળ ગામે ભત્રીજીના લગ્ન પ્રસંગમાં ગયો હતો ત્યાં ગત રાત્રીના ઉલ્ટી થયા બાદ બેભાન થઈ જતા મોત નીપજ્યું હતું. બનાવથી જે ઘરના આંગણે લગ્નનો માહોલ હતો એ શોકમાં ફેરવાઈ જતા પરિવારજનોમાં ગમગીની છવાઈ છે.
​​​​​​​
બનાવની પ્રાપ્ત વિગત મુજબ રાજકોટના શીતલ પાર્ક પાસે રંભામાની વાડી પાસે રહેતા રણજીતભાઇ બચુભાઈ રાઠોડ (ઉ.વ.૩૫) નામના યુવકના માંગરોળ ગામે રહેતા કાકા રતિભાઈ ચનાભાઈ રાઠોડની પુત્રી કોમલના લગ્ન હોવાથી પરિવાર સાથે બે દિવસથી ત્યાં ગયો હતો.રાત્રીના દાંડિયારાસ પુરા કરી યુવક એકાદ વાગ્યે મહેમાનો સાથે બેઠો હતો ત્યારે અચાનક ઉલ્ટી થતા ત્યાં જ ઢળી પડતા સારવાર માટે લઇ જવાતા તબીબે મૃત જાહેર કરતા પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો. મૃતક યુવાન મજૂરી કામ કરતો હતો અને ત્રણ ભાઈ ત્રણ બહેનમાં બીજા નંબરે હતો. 
સંતાનમાં ત્રણ દીકરી એક દીકરો છે. યુવકને હાર્ટ એટેક આવી ગયાનું પરિવારજનોએ જણાવ્યું હતું. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application