ધ્રોળના ખેંગારકા નજીક ચેકડેમમાં નાહવા પડેલા યુવાનનું ડૂબી જતાં મૃત્યુ

  • September 26, 2024 11:30 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના ઇશ્વરીયા ગામ નો એક યુવાન ધ્રોળ નજીક ખેંગારકા ગામ પાસે આવેલા ચેકડેમ માં નાહવા માટે પડ્યો હતો, અને ડૂબી જવાથી તેનું કરુણ મૃત્યુ નીપજ્યું છે.


આ બનાવ ની વિગત એવી છે કે લાલપુર તાલુકા ના ઇશ્વરિયા ગામમાં રહેતો સુરેશભાઈ રાણાભાઇ પરમાર નામનો ૩૫ વર્ષ નો  યુવાન કે જે ગઈકાલે ધ્રોલ તાલુકાના ખેંગારકા ગામ પાસે આવેલા ચેક ડેમમાં નાહવા માટે પડ્યો હતોઝ અને ડૂબી જવાના કારણે બે શુદ્ધ બન્યો હતો.


જેને પાણીમાંથી બહાર કાઢી ધ્રોળની સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં ફરજ પરના તબીબે તેનું મૃત્યુ નિપજ્યું હોવાનું જાહેર કર્યું હતું. આ બનાવ અંગે મૃતકના મોટાભાઈ જગદીશભાઈ રાણાભાઇ પરમાર એ પોલીસને જાણ કરતાં ધ્રોળના પોલીસ હેડ કોન્સ્ટેબલ આર કે મકવાણા બનાવના સ્થળે દોડી ગયા હતા, અને મૃતદેહ નો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application