ભાવનગર જિલ્લાના પાલીતાણા શહેરમાં રહેતા યુવાનને આદપુર રોડ પર અજાણ્યા આઈસર અડફેટે લેતા યુવાનનું સારવાર દરમ્યાન મોત થયું હતું. આ ઘટના અંગે અકસ્માત સર્જી વાહન ચાલક ફરાર થઈ ગયો હતો. બનાવ અનગર આઈસર ચાલક વિરુદ્ધ પાલીતાણા ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થઈ છે.
આ બનાવ અંગે પાલીતાણા પોલીસ મથક ખાતેથી મળતી માહિતી અનુર પાલીતાણા શહેરમાં આવેલ આદપુર રોડ પર રહેતા નરેન્દ્રભાઈ અંબાશંકરભાઈ જોષીનો પુત્ર ભાવિન (ઉ.વ.26) ગતરાત્રીના સમયે પોતાનું સ્કૂટર નં-જી-જે-14-આર-1017 લઈને તેના મિત્ર પ્રકાશ વજુભાઈ ડગળા (રહે.માનસિંહજી હોસ્પિટલ પાછળ)ને સ્કૂટર પાછળ બેસાડી ઘરતરફ આવી રહ્યાં હતાં. તે વેળાએ આદપુર બાજુથી આવી રહેલ અજાણ્યા આઈસર ચાલકે સ્કૂટર સવાર મિત્રોને અડફેટે લેતા સ્કૂટર ચાલક ભાવિનને માથામાં ગંભીર ઈજા સાથે તત્કાળ સારવાર અર્થે માનસિંહજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જયાં ટૂંકી સારવાર દરમ્યાન મોત થયું હતું. મૃતક યુવાન ત્રણ બહેનોનો એકનો એક લાડકવાયો હતો. અને થોડા સમય પૂર્વે જ લગ્ન થયા હતા. અને અકાળે આશાસ્પદ યુવાનને કાળ ભરખી જતાં પરીવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. આ અજાણ્યા આઈસર ચાલક વિરુદ્ધ પાલીતાણા ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech