વાંકાનેરના વઘાસિયા ટોલનાકા નજીક કાર પલટી ખાઈ જતા યુવાનનું મોત

  • September 23, 2024 10:29 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


વાંકાનેરના વઘાસીયા ટોલનાકા નજીક એક ગંભીર અકસ્માત થયો હતો. જેમાં નેશનલ હાઈવે પર કાર કોઈ કારણોસર અકસ્માતગ્રસ્ત બનતા પલ્ટી ખાઈ જતાં સર્જાયેલ ગમખ્વાર અકસ્માતમાં કાર ચાલક યુવાનનું ઘટનાસ્થળે જ કમકમાટીભયુ મોત થયું હોવાની માહિતી મળી રહી છે. બનાવની પ્રા વિગતો મુજબ વાંકાનેર શહેર નજીક વઘાસીયા ટોલનાકા પાસે રાત્રીના નેશનલ હાઈવે પર પેટ્રોલ પપં પાસેથી પસાર થતી એક કાર કોઈ કારણોસર અકસ્માતગ્રસ્ત બનતા ડીવાઈડર સાથે અથડાઈ કાર પલ્ટી ખાઈ ગઈ હતી. જેમાં કાર ચાલક મયુર ઉર્ફે લલી લાલજીભાઈ રાઠોડ ઉ.વ.૨૮ નામના યુવાનનું ઘટનાસ્થળે જ મોત થયું હોવાની માહિતી મળી રહી છે. બનાવની જાણ થતાં વાંકાનેર સીટી પોલીસ કાફલો તાત્કાલીક ઘટનાસ્થળે દોડી ગયો હતો અને મૃતકની લાશને પોસ્ટમોર્ટમ અર્થે વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડી વધુ તપાસ શરૂ કરવામાં આવી હોવાની માહિતી મળી રહી છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application