ધ્રોલમાં યુવાનનો પત્નીના વિયોગમાં ગળાફાંસા દ્વારા આપઘાત

  • July 06, 2023 11:14 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પત્નીનું બીમારીમાં મૃત્યુ  પછી ગુમસુમ રહેતા પતિએ પગલુ ભર્યુ

ધ્રોલ ભીમવાસ વિસ્તારમાં રહેતા એક યુવાને પોતાની પત્નીના વિયોગમાં ગળા ફાંસા દ્વારા આપઘાત કરી લીધો છે. પત્નીનું બે માસ પહેલાં કેન્સરની બીમારીમાં મૃત્યુ નીપજ્યા પછી ગુમ સુમ રહેલા પતિએ પણ મોતની વાટ પકડી લીધી છે.
ધ્રોલમાં ફુલવાડી રોડ ભીમવાસ વિસ્તારમાં રહેતા હેમંતભાઈ કરસનભાઈ ચૌહાણ નામના આડત્રીસ વર્ષના યુવાને ગઈકાલે પોતાના ઘેર પંખાના હુકમાં દુપટ્ટો બાંધી ગળાફાંસા દ્વારા આપઘાત કરી લીધો હતો.
આ બનાવ અંગે મૃતકના મોટાભાઈ નરશીભાઈ કરસનભાઈ ચૌહાણએ પોલીસ ને જાણ કરતાં ધ્રોલ પોલીસે મૃતદેહ નો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસ પૂછપરછ માં જાહેર થયા મુજબ મૃતક હેમંતભાઈની પત્નીનું આજથી બે માસ પહેલાં કેન્સરની બીમારીના કારણે મૃત્યુ થયું હતું, તેના મૃત્યુ બાદ હેમંતભાઈ ગુમસુમ રહેતા હતા, અને વારંવાર પત્નીનો વિચાર કરતા હતા. તેના વિયોગમાં આ પગલું ભરી લીધાનું જણાવ્યું છે. ધ્રોલ પોલીસ વધુ તપાસ ચલાવે છે.
**
જામનગરમાં આઘેડનો અગમ્ય કારણસર જીવાદોરી ટુંકાવી
જામનગરમાં ધરારનગર-૧ વિસ્તારમાં રહેતા ઈબ્રાહિમભાઈ આમદભાઈ દલ નામના ૫૦ વર્ષના આધેડે પોતાના ઘેર લાકડાની આડશમાં પ્લાસ્ટિકની દોરી બાંધી ગળાફાંસા દ્વારા આપઘાત કરી લીધો હતો.
આ બનાવ અંગે સૌપ્રથમ ૧૦૮ ની ટીમને જાણ કરાઈ હતી, અને ૧૦૮ની ટુકડી ઘેર પહોંચી ગઈ હતી. પરંતુ તેણે ઈબ્રાહિમભાઈનું મૃત્યુ નિપજ્યું હોવાનું જાહેર કર્યું હતું.
આ બનાવ અંગે મૃતકના પુત્ર મુસ્તાક ઇબ્રાહિમભાઈએ પોલીસને જાણ કરતાં સિટી બી. ડિવિઝન ના પી.એસ.આઇ. આર.પી. અસારી બનાવના સ્થળે દોડી ગયા હતા, અને મૃતદેહનો કબજો સંભાળી વધુ તપાસ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application