હાપા વિસ્તારમાં રિક્ષાચાલકને ઠોકરે ચડાવી મૃત્યુ નિપજાવનાર પીકઅપ વાહન ચાલક સામે ગુનો નોંધાયો
જામનગર ના હાપા વિસ્તારમાં એક રીક્ષા ચાલકને ઠોકરે ચડાવી મૃત્યુ નીપજાવનાર પીકપ વાહન ચાલકને પોલીસે શોધી કાઢ્યો છે, અને તેની સામે ગુનો નોંધ્યો છે. આ ઉપરાંત મેઘપર ગામના પાટીયા પાસેથી પસાર થઈ રહેલા એક બાઈક ચાલકને ટ્રક ટેન્કરના ચાલકે હડફેટમાં લઈ ઇજાગ્રસ્ત બનાવ્યો છે.
જામનગરના હાપા વિસ્તારમાં ગઈકાલે સવારે એક રીક્ષા અને પીકપ વાહન વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જે અકસ્માતમાં રીક્ષા ચાલક ગુલાબસિંહ ભગવાનજી જાડેજા (ઉંમર વર્ષ ૬૨)નું ગંભીર ઈજા થવાથી ઘટનાસ્થળેજ કરુણ મૃત્યુ નીપજ્યું હતું.
જે અકસ્માતબાદ વાહન ચાલક ભાગી છૂટ્યો હતો. દરમિયાન પંચકોષી બી. ડિવિઝન પોલીસ સ્ટેશન ના સ્ટાફે અકસ્માત સર્જીને ભાગી છૂટેલા જી.જે. ૧૦ ટી.વાય. ૦૯૨૪ નંબરના પીકઅપ વાહન ચાલક સામે ગુનો નોંધ્યો છે, અને વધુ તપાસ હાથ ધરી છે.
અકસ્માત નો બીજો બનાવ મેઘપર ગામના પાટિયા પાસે બન્યો હતો. જયાં જી.જે.-૧૮ બી.ટી.૫૭૬૬ નંબરના ટ્રક ટેન્કર ચાલકે રાધે શ્યામ પરમહંસ યાદવ નામના એક બાઈકચાલ ને હડફેટમાં લઈ ફ્રેકચર સહિતની ગંભીર ઇજા થવાથી તેને સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં દાખલ કરાયો છે.
ઇજાગ્રસ્ત ના ભાઈ ભોલાભાઈ પરમહંસ યાદવે ટ્રક ટેન્કરના ચાલક સામે ફરિયાદ નોંધાવતાં મેઘપર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજગન્નાથ રથયાત્રાના દિવસે બની રહ્યા છે આ દુર્લભ યોગ, જાણો દિવસમાં કેટલો સમય કરી શકાશે પૂજા
July 05, 2024 11:40 PMવરસાદી ઋતુમાં ત્વચાની તમામ સમસ્યાઓ દૂર કરશે આ નાના નાના પાંદડા
July 05, 2024 11:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech