ભિલોડા તાલુકાના રામપુરી ગામે બે બાળકોની માતા સામે ડાકણ હોવાનો વહેમ રાખી તેના જ કુંટુંબીએ મહિલાને બંદૂકથી ગોળી મારી મોતને ઘાટ ઉતારી દીધી છે. આ ચકચારી ઘટનાને પગલે પોલીસની ટીમો દોડી આવી હતી. આરોપી વિરૂધ્ધ હત્યાનો ગુનો નોંધાયો છે. ફરાર આરોપીને પકડવા માટે પોલીસે 3 ટીમો બનાવી તપાસ હાથ ધરી છે.
સોમવારની રાત્રે ભિલોડા તાલુકાના રામપુરી ગામે રહેતા એક પરિવારની મહિલાને ડાકણ હોવાનો વહેમ રાખી તેના જ કુંટુંબીએ રાત્રે બે વાગ્યા આસપાસ ઘરની ચોપાળમાં સૂઈ રહેલી બે બાળકોની માતાને ગોળી ધરબી દેતાં મહિલાનું મોત નીપજયું હતું.
આ ઘટનાને પગલે જિલ્લા ડીવાયએસપી સહિત એસઓજી, એલસીબીની ટીમો સ્થળ ઉપર દોડી પહોંચી હતી અને ફાયરિંગ કરી મહિલાને મોતને ઘાટ ઉતારનાર ફરાર આરોપી રાજેન્દ્ર તબીયારને ઝડપી લેવા ચક્રો ગતિમાન કયર્િ હતા.
રાત્રીના બે વાગે બંદૂકના ભડાકાને લઈને આ મહિલાની પાસે સૂતેલા બે બાળકો જાગી ગયા હતા અને તુરંત લાઈટ ચાલુ કરતાં આ આરોપી રાજેન્દ્ર તબીયાર બંદૂક હાથમાં લઈ ઉભો હતો. ભારે ધડાકાને પગલે આસપાસના લોકો પણ જાગી ઉઠયા હતા અને તાબડતોડ આ બંદૂકની ગોળીથી ઘવાયેલી મહિલા ભિલોડા કોટજ હોસ્પિટલે ખસેડાઈ હતી.
ફરજ પરના તબીબે મહિલાને મૃત જાહેર કરી હતી અને ભિલોડા પોલીસે ફરાર આરોપી રાજેશ ઉર્ફે રાજેન્દ્રભાઈ નાનજીભાઈ વિરૂધ્ધ ભારતીય નાગરિક સંહિતા, હથિયારધારા તેમજ જી.પી.એકટ હેઠળ ગુનો નોંધી આરોપીને ઝડપી લેવા તજવીજ હાથ ધરી હતી.
45 વર્ષિય મહિલાને ડાકણ હોવાનો વહેમ રાખી રાજેશ ઉર્ફે રાજેન્દ્ર તબીયાર અવાર નવાર હેરાન પરેશાન કરતો હતો. તું તો ડાકણી છે અને તને તો મારી નાખવાની છે તેમ કહી ત્રાસ આપતા આ આરોપી વિરૂધ્ધ આ પરિવારે અગાઉ પણ ભિલોડા પોલીસ સ્ટેશને ફરિયાદ કરી હતી.
એનસીઆરબીના વર્ષ 2017થી 2021ના અહેવાલ પ્રમાણે ગુજરાતમાં કુલ 18 મહિલાની ડાકણનનો વહેમ રાખીને હત્યા થઈ છે. ગામ કે પરિવારમાં કોઈ નાની વયની વ્યક્તિનું આકસ્મિક મોત થાય ત્યારે અંધશ્રદ્ધામાં રાચતો પરિવાર ઘરની કે ગામની એકાદ મહિલાને ડાકણ માની તે ખાઈ ગઈ છે તેમ કહી તેની હત્યા કરે છે. આ હત્યામાં એક વ્યક્તિથી લઈને અનેક લોકો જોડાયેલા હોય તેવું પણ બને છે. જેને પાછળથી મોબલિન્ચિંગનું નામ આપી દેવાય છે. ડાકણ માની લેવાયેલી સ્ત્રી સાથે ક્રુર અને અમાનવીય વર્તન કરવામાં આવે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરતન ટાટાના નિધન પર ક્રિકેટરોએ વ્યક્ત કર્યો શોક, જાણો કોણે શું કહ્યું?
October 10, 2024 01:12 AMરતન ટાટા નિધન પર PM મોદી અને રક્ષા મંત્રી રાજનાથ સિંહે વ્યક્ત કર્યો શોક
October 10, 2024 12:56 AMટાટાની અલવિદા: ભારતનું રતન રોળાયું
October 10, 2024 12:37 AMરતન ટાટાની હાલત નાજુક, હોસ્પિટલના ICUમાં દાખલઃ રિપોર્ટ
October 09, 2024 08:06 PMજામનગરમાં પીજીવીસીએલ કર્મચારીઓ વીજ ઉપકરણો અને સુરક્ષાના ડ્રેસ પહેરી ગરબે રમ્યા
October 09, 2024 06:31 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech