બીમાર પુત્રીની ચિંતામાં ઉગમણા બારાના મહિલાએ જિંદગી ટૂંકાવી

  • September 23, 2023 11:12 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આંચકી આવતા પાણીમાં પડી ગયેલા મહિલાનું મૃત્યુ: ખંભાળિયા તાલુકાનો બનાવ


ખંભાળિયા તાલુકાના ઉગમણા બારા ગામે રહેતા લક્ષ્મીબા અનિરુદ્ધસિંહ જાડેજા નામના 22 વર્ષના મહિલાની સાડા ત્રણ માસની પુત્રી છેલ્લા ત્રણ-ચાર દિવસથી બીમાર હોય અને તેણીને દવાથી પણ સારું થતું ન હતું. આ વચ્ચે આ બાળા સતત રડ્યા કરતી હોય, આ અંગેની ચિંતામાં લક્ષ્મીબાએ ગત તા. 19 મીના રોજ પોતાના ઘરે પાકમાં છાંટવાની ઝેરી દવા પી લેતા તેણીને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં સારવાર દરમિયાન તેણીનું મૃત્યુ નીપજ્યું હતું. મૃતક મહિલાનો લગ્નગાળો બે વર્ષનો હતો. આ અંગેની જાણે મૃતકના પતિ અનિરુદ્ધસિંહ હેમતસિંહ જાડેજા (ઉ.વ. 25) એ સલાયા મરીન પોલીસને કરી છે.

જયારે ખંભાળિયા તાલુકાના સુતારિયા ગામે રહેતી અને મૂળ મધ્યપ્રદેશ રાજ્યના ધાર જિલ્લાની રહીશ મંજુબેન ઝીજીયાભાઈ વસુનીયા નામની મહિલાને આંચકીની બીમારી હોય, તેણી ગઈકાલે શુક્રવારે સુતરીયા ગામના સીમ વિસ્તારમાં કપડા ધોવા જતા આંચકી આવવાના કારણે પાણીની કુંડીમાં પડી જતા મૂર્છિત અવસ્થામાં તેણીને હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં ફરજ પરના તબીબોઓએ તેણીને મૃત જાહેર કરી હતી. જે અંગેની જાણ મૃતકના પતિ ઝીજીયાભાઈ લસીયાભાઈ વસુનીયા (ઉ.વ. 30) એ અહીંની પોલીસને કરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application