અકળ કારણોસર ખંભાળિયાની મહિલાએ ગળાફાંસો ખાઈને જિંદગી ટૂંકાવી

  • July 30, 2024 10:57 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ખંભાળિયા તાલુકાના આથમણા બારા ગામે રહેતા શાંતુબા ભગીરથસિંહ અજીતસિંહ જાડેજા નામના 22 વર્ષના મહિલાએ રવિવાર તારીખ 28 મી ના રોજ બપોરના સમયે કોઈ અગમ્ય કારણોસર તેમના રહેણાંક મકાનમાં દુપટ્ટા વડે ગળાફાંસો ખાઈ લેતા તેમનો નિષ્પ્રાણ દેહ સાંપડ્યો હતો. આ બનાવ અંગે અજીતસિંહ કેસરજી જાડેજા (ઉ.વ. 50) એ સલાયા મરીન પોલીસને જાણ કરતા આગળની તપાસ ઇન્ચાર્જ પી.આઈ. વી.એન. સીંગરખીયા દ્વારા હાથ ધરવામાં આવી છે.


ઓખામાં નજીક બોટમાં યુવાનનું અપમૃત્યુ

ઓખા નજીક આવેલા આર.કે. બંદર વિસ્તારમાં મોનિકા નામની બોટમાં જીગ્નેશભાઈ સુમનભાઈ રાઠોડ નામના 32 વર્ષના માછીમાર યુવાન જમીને સુતા બાદ મોડી રાત્રીના સમયે તેમને હાર્ટ એટેક અથવા આંચકી આવી જતા તેમનું મૃત્યુ નીપજ્યું હોવા અંગેની જાણ શૈલેષભાઈ રામજીભાઈ ટંડેલે ઓખા મરીન પોલીસને કરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application