વેરાવળમાં સરકારી હોસ્પીટલ પાસે સરકારી જમીનમાં થયેલ કાચા મકાનોના દબાણો દુર કરવા પાલીકા તંત્રએ આપેલ નોટીસના પગલે ડીપ્રેશનમાં આવી ગયેલ ૪૩ વર્ષીય મહિલાએ ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવી હતી. આ ઘટનાની જાણ થતા સરકારી હોસ્પીટલએ પહોંચેલ કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ ગરીબ માણસોના મકાનો ડીમોલેશન કરવાની નિતીને લઈ તત્રં પર આકરા પ્રહારો કર્યા હતા.
વેરાવળમાં સિવીલ હોસ્પીટલ નજીક ટી.પી.સ્કીમ ૨ અંતીમખડં ૧૦૭ વાળી સરકારી જમીનમાં કાચા મકાનોના અનઅધિકૃત દબાણ થયેલા હોય જેને દુર કરવા ત્રણેક દિવસ પહેલા પાલીકા તત્રં દ્રારા અંદાજે સીતેરક લોકોને દબાણો દુર કરવા નોટીસો પાઠવી હતી. જે પૈકી એક મકાનમાં રહેતી માયાબેન રામપદ સરકાર નામની મહિલાએ ગતરાત્રીના ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા અરેરાટી પ્રસરી છે. ત્યારે આ અંગે મૃતક મહિલાની બેન વનિતાએ મિડીયા સમક્ષ જણાવેલ કે, ત્રણેક દિવસ પહેલા મકાન પાડી દેવા મળેલ નોટીસથી માયાબેન ડીપ્રેશનમાં આવી ગયા હતા. ગતરાત્રીના અમો અમારા સંબંધીને ત્યાં ગયેલ તે સમયે ઘરમાં એકલા હોવાથી તેઓએ ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવી લીધુ હતુ. આજે સવારે ઘરે આવ્યા ત્યારે ડેલી ખખડાવવા છતાં ખોલતા ન હોય ત્યારે બારીમાંથી જોતા માયાબેન ગળેફાંસો ખાધેલ હાલતમાં હતા. જેથી તુરતં પોલીસ અને ૧૦૮ ને જાણ કરી હતી. મારી બહેનએ તંત્રએ પાઠવેલ નોટીસથી તણાવમાં આવી ગયા બાદ આપઘાત જેવું પગલુ ભર્યુ છે. આ ઘટના માટે નોટીસ આપનાર જવાબદાર છે.
કોંગી ધારાસભ્ય વિમલ ચુડાસમાનો તત્રં પર આકરા પ્રહાર
આ ઘટનાની જાણ થતાં સિવીલ હોસ્પીટલએ દોડી આવેલા સોમનાથના કોંગી ધારાસભ્ય વિમલ ચુડાસમાએ તત્રં ઉપર આકરા પ્રહાર કરતા જણાવેલ કે, આ મહિલાનું મૃત્યુ થયુ નથી આ મર્ડર થયુ છે આ મર્ડર તંત્રએ કર્યુ છે. છેલ્લ ા ઘણા સમયથી જીલ્લ ામાં નાના વર્ગના લોકોના ઘરો તોડવાની કામગીરી તત્રં કરી રહ્યુ છે. ત્યારે આવી નિતીથી કામગીરી ચાલુ રહેશે તો હજુ અનેક લોકો આપઘાત જેવા પગલાં ભરશે તો તેની જવાબદારી તંત્રની રહેશે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMપંજાબી ગાયક ગુરુ રંધાવા ગંભીર રીતે ઘાયલ, માથામાં અને ચહેરા પરની ઇજાથી ચાહકોની ચિંતા વધી
February 23, 2025 04:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech