જેતપુરના નવાગઢ વિસ્તારમાં આવેલ વિવેકાનંદ સોસાયટીમાં આજે વિજપોલ પર વાયર રીપેરીંગ કરવા માટે ચડેલ એક વાયરમેન વિજપોલ પરથી અકસ્માતે પડી જતા તેનું માથું ફાટી જવાથી મોત નીપજ્યું હતું.
શહેરના બળદેવધાર વિસ્તારમાં રહેતા ભીમજીભાઈ રાઠોડ ઉવ ૫૫ નામના વૃદ્ધ વર્ષોથી વીજ રીપેરીંગનું છૂટક કામ કરે છે. જેમાં આજે નવાગઢના વિવેકાનંદ સોસાયટી પાસેથી પસાર થતા હતા ત્યારે જ ત્યાં એક પોલ પરથી વીજ વાયર નીચે લટકી રહ્યો હતો. ત્યારે આ વીજ વાયર રીપેરીંગ કરવા માટે ભીમજીભાઈ વિજપોલ પર ચડ્યા હતાં. અને વાયર રીપેર કરતા હતા તેવા તેઓને વીજ કરંટ લાગતા અઠવ તો તેઓને ચક્કર આવતા તેઓ વીજ પોલ પરથી સીધા જમીન પર નીચે પટકાયા. અને નીચે જમીન સિમેન્ટ રોડની હોય તેઓનું માથું નીચે ટકરતા માથું ફાટી ગયું અને ત્યાં લોહીની ધારાઓ વહેવા લાગી અને ભીમજીભાઈનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું વિજપોલથી નીચે પટકાવના બનાવમાં પોલીસે હાલ અકસ્માતે મોતની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech