સુરેન્દ્રનગરના લીંબડી તાલુકાના ખાંભલવાવ ગામે રહેતી સગર્ભાનું લીંબડીની નિષ્ઠા હોસ્પિટલમાં ગર્ભપાત માટે દાખલ થતા ઓપરેશન દરમિયાન તબિયત લથડતા સુરેન્દ્રનગર ખસેડવામાં આવી હતી યાં તેમને મરણ જાહેર કરતા પરિવારે નિા હોસ્પિટલના ડોકટર સામે તબીબી બેદરકારીનો આક્ષેપ કરતા પોલીસ દોડી ગઈ હતી અને મૃતદેહને ફોરેન્સિક પીએમ માટે રાજકોટ સિવિલમાં ખસેડવામાં આવ્યો છે.
પ્રા વિગત મુજબ લીંબડીના ખાંભલવાવ ગામે રહેતી પુરીબેન ભરતભાઈ કાલીયા (ઉ.વ.૩૨)ના સગર્ભાને બે દિવસ પહેલા લીંબડીની નિા હોસ્પિટલમાં ગર્ભપાત કરાવવા માટે દાખલ કરવામાં આવી હતી દરમિયાન તેની તબિયત લથડતા તબીબે સુરેન્દ્રનગર લઈ જવાનું કહેતા સુરેન્દ્રનગર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડાતા ફરજ પરના તબીબે મૃત હોવાનું જાહેર કયુ હતું. બનાવના પગલે ચુડા પોલીસને જાણ કરવામાં આવી હતી અને પરિવારજનોએ લીંબડીની નિષ્ઠા હોસ્પિટલના તબીબ ડો.દીપેન પટેલ સામે તબીબી બેદરકારીનો આક્ષેપ કરતા પોલીસે મૃતદેહને ફોરેન્સિક પીએમ માટે રાજકોટ ખસેડી જરી કાર્યવાહી કરી હતી.
મૃત્યુ પામનારના પતિ ભરતભાઇના કહેવા મુજબ પોતે છૂટક મજૂરી કામ કરે છે. સંતાનમાં એક નવ મહિનાની દીકરી છે અને પત્નીને પાંચ મહિનાનો ગર્ભ હતો.જેનું ટિન ચેકઅપ લીબડી અને સુરેન્દ્રનગર સરકારી હોસ્પિટલમાં કરાવતા હતા. દરમિયાન લોહીની ટકાવારી ઓછી હોવાનું કહેતા લીંબડી સરકારી હોસ્પિટલમાં બ્લડ ચડાવવામાં આવતું હતું. જે બાદ લોહીની ટકાવારીમાં સુધારો થયો હતો અને લીંબડીની નિા હોસ્પિટલમાં બતાવવા માટે ગયા હતા ત્યાંથી દવા અને સોનોગ્રાફી સહિતના રિપોર્ટ કરવા માટેનું કહેતા સુરેન્દ્રનગર ક્રિષ્ના ઈમેજીન માં જઈ સોનોગ્રાફી કરાવી હતી જે રિપોર્ટ નિા હોસ્પિટલના તબીબ ડો.દીપેન પટેલને બતાવવા માટે ગયા ત્યારે સોનોગ્રાફી જોઈ કોથળીમાંથી બાળક અલગ પડી ગયું છે. આથી બાળકનો વિકાસ થશે નહિ અને માતા–પુત્રનો જીવ જોખમમાં મુકાઈ શકે છે, માટે ગર્ભપાત કરાવી પત્નીને બચાવી શકાય આથી અમે ડોકટરના કહેવા મુજબ બે દિવસ પછી ગર્ભપાત કરાવવા માટે દાખલ કરવામાં આવી હતી. એ સમયે પત્ની બે માળની સીડી ચડીને હોસ્પિટલએ આવી હતી. ઓપરેશનમાં અંદર લઇ ગયા બાદ થોડી વાર પછી ડોકટરે કહ્યું હતું કે, બહેનની સ્થિતિ ગંભીર છે શ્વાસ લેતા નથી માટે સુરેંદ્રનગર લઇ જવા પડશે આથી અમે એમ્બ્યુલન્સમાં સુરેન્દ્રનગર સરકારી હોસ્પિટલએ લઈ જતા ત્યાંના ડોકટરે મરણ જાહેર કરી હતી. આથી નિા હોસ્પિટલના ડોકટરની બેદરકારીના કારણે પત્નીનું મોત થયું છે. પોલીસે આક્ષેપોના પગલે આગળની તપાસ હાથ ધરી છે. બનાવથી પરિવારમાં ગમગીની છવાઈ છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમોદી સરકાર નક્સલવાદ સામે મોટા ઓપરેશનની કરી રહી છે તૈયારી, અમિત શાહ દિલ્હીમાં બનાવશે માસ્ટર પ્લાન
October 05, 2024 08:16 PMNobel Prize 2024: આવતા અઠવાડિયે નોબેલ પુરસ્કારની થશે જાહેરાત, જાણો કોનું થશે સન્માન...
October 05, 2024 08:15 PMએક સાથે પંદર હોમગાર્ડઝ સભ્યોને ફરજ મોકૂફ અને એક સભ્યને બરતરફ કરતાં જામનગર જિલ્લા હોમગાર્ડઝ કમાન્ડન્ટ
October 05, 2024 06:52 PMજામનગરમાં અતિવૃષ્ટિમાં થયેલ નુકશાન બાદ વળતર મુદ્દે પ્રાંત અધિકારીએ આપી પ્રતિક્રિયા
October 05, 2024 06:47 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech