શ્રાવણ મહિનો હિંદુ ધર્મનો સૌથી પવિત્ર મહિનો અને ભગવાન શિવનો પ્રિય મહિનો છે. ભારતમાં શ્રાવણ મહિનામાં શિવ મંદિરોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળે છે. ભગવાન શિવને દેવોના દેવ કહેવમાં આવે છે. આ મહિનો ભગવાન શિવની આરાધનાનો મહિનો હોવાથી શ્રદ્ધાળુઓ શિવ મંદિરે દર્શન કરવા માટે પહોંચી જાય છે. સુરતના અડાજણ વિસ્તારમાં આવેલા ગંગેશ્વર મહાદેવ મંદિરમાં શિવજીની અનોખી ભક્તિ કરવામાં આવી રહી છે.
મંદિરના ટ્રસ્ટ દ્વારા છેલ્લા 25 વર્ષથી પાર્થેશ્વર શિવલિંગ બનાવી તેની પૂજા કરવામાં આવે છે. પાર્થ એટલે માટી અને શ્વર એટલે ઈશ્વર (માટીના ઈશ્વર) એટલે પાર્થેશ્વર. તેનું શ્રાવણ માસમાં ઘણું જ મહત્વ હોય છે અને આ મંદિરમાં શ્રાવણ માસ દરમિયાન સવા લાખ જેટલા પાર્થેશ્વર શિવલિંગ બનાવવામાં આવે છે અને તેની પુજા કરવામાં આવે છે.
ગંગેશ્વર મહાદેવ મંદિરમાં રોજના 4500 શિવલિંગનું નિર્માણ કરવામાં આવે છે. સુર્યોદય પહેલા શિવલિંગ બનાવવામાં આવે છે અને દિવસ દરમિયાન તેની પૂજા કરીને સૂર્યાસ્ત થાય તે પહેલા તાપી નદીમાં તેનું વિસર્જન કરવામા આવે છે.. આ શિવલિંગના દર્શન માટે રોજ હજારો ભક્તો મંદિરે આવે છે અને દર્શન કરી ધન્યતા અનુભવે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજેતપુરમાં પ્રદુષણ ફેલાવતાં ઉધોગો સામે એસોશિએશનની લાલ આંખ
September 19, 2024 10:22 AMવેરાવળ નજીક બોલેરોએ બાઇકને ઠોકર મારતા આધેડનું મોત
September 19, 2024 10:18 AMઆખરે છઠ્ઠું માનવભક્ષી વરુ દેખાયું ડ્રોન કેમેરામાં, શેરડીના ખેતરમાં હતું છુપાયેલું
September 19, 2024 09:43 AMતમે નહી માનો પણ આ સાચું છે, ટૂથબ્રશથી પણ થઈ શકો છો બીમાર, જાણો ટૂથબ્રશ કેવી રીતે સાફ કરવું
September 19, 2024 09:38 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech