રાજકોટ જિલ્લામાં મતદાન અંગે જાગૃતિ લાવવા અનોખો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે. જસદણ મત વિસ્તારમાં સરકારી કાગળ પર "ચુનાવ કા પર્વ, દેશ કા ગર્વ" સ્ટેમ્પ થકી મતદાન જાગૃતિ સંદેશ લગાવવામાં આવ્યો છે.
રાજકોટ જિલ્લા કલેકટર અને મુખ્ય ચૂંટણી અધિકારી પ્રભવ જોષીના નેતૃત્વમાં તેમજ અધિક જિલ્લા ચૂંટણી અધિકારી એન. કે. મુછારના દિશાનિર્દેશ મુજબ લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ને ધ્યાને લઈને સમગ્ર ચૂંટણી તંત્ર સતત કાર્યરત છે, ત્યારે અધિક જિલ્લા કલેક્ટર અને નોડલ ઓફિસર જિજ્ઞાસાબેન ગઢવીના માર્ગદર્શન હેઠળ સ્વીપ (સિસ્ટમેટિક વોટર્સ એજ્યુકેશન એન્ડ ઇલેક્ટ્રોલ પાર્ટીશીપેશન) અંતર્ગત મતદાન જાગૃતિ ઝુંબેશ ચાલી રહી છે. જસદણ વિધાનસભા મત વિસ્તારમાં પણ નાગરિકોને મતદાન માટે જાગૃત કરવા વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે.
૭૨ -જસદણ વિધાનસભા મતદાર વિભાગમાં મદદનીશ ચૂંટણી અધિકારી અને પ્રાંત અધિકારી ગ્રીષ્માબેન રાઠવાના વડપણ હેઠળ મતદાનનો સંદેશો જન-જન સુધી પહોંચાડવા નવતર પહેલ હાથ ધરવામાં આવી છે. જેમાં તમામ વહીવટી કાગળ ઉપર 'ચુનાવ કા પર્વ, દેશ કા ગર્વ'નો સ્ટેમ્પ લગાવવામાં આવે છે. તેમજ લાયબ્રેરી, ટેક્ષેશન, માર્કેટ યાર્ડ, કૃષિ, મેડીકલ, કરીયાણા, વાજબી ભાવની દુકાન સહિતના સ્થળોએ પણ આ સ્ટેમ્પનો ઉપયોગ કરવા સૂચના આપવામાં આવી છે. જેથી, આ સ્ટેમ્પ બહોળા પ્રમાણમાં લોકો સુધી પહોંચે અને તેમને મતદાન કરવા પ્રેરિત કરી શકાય.
આ સ્ટેમ્પમાં 'ચુનાવ કા પર્વ, દેશ કા ગર્વ' સૂત્રની સાથે '૭મી મે, ૨૦૨૪ના દિવસે રાજકોટ અવશ્ય મતદાન કરશે.' - નો સંદેશો આપવામાં આવ્યો છે. આમ મતદાર જાગૃતિ સ્ટેમ્પનો ઉપયોગ કરીને લોકશાહીના પર્વ ચૂંટણીમાં મહત્તમ મતદારોને સહભાગી બનાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમોદી સરકાર નક્સલવાદ સામે મોટા ઓપરેશનની કરી રહી છે તૈયારી, અમિત શાહ દિલ્હીમાં બનાવશે માસ્ટર પ્લાન
October 05, 2024 08:16 PMNobel Prize 2024: આવતા અઠવાડિયે નોબેલ પુરસ્કારની થશે જાહેરાત, જાણો કોનું થશે સન્માન...
October 05, 2024 08:15 PMએક સાથે પંદર હોમગાર્ડઝ સભ્યોને ફરજ મોકૂફ અને એક સભ્યને બરતરફ કરતાં જામનગર જિલ્લા હોમગાર્ડઝ કમાન્ડન્ટ
October 05, 2024 06:52 PMજામનગરમાં અતિવૃષ્ટિમાં થયેલ નુકશાન બાદ વળતર મુદ્દે પ્રાંત અધિકારીએ આપી પ્રતિક્રિયા
October 05, 2024 06:47 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech