ગુજરાત શિક્ષણ બોર્ડે સાયન્સના વિદ્યાર્થીઓની પરીક્ષાની જોગવાઈમાં સુધારો કર્યો છે. હવે ધો.11 સાયન્સમાં પાસ થયેલો વિદ્યાર્થી ધો.12 સાયન્સમાં ગમે તે ગ્રૂપ પસંદ કરી અભ્યાસ કરી શકશે. આ ઉપરાંત ધો.11 સાયન્સમાં બીજા સત્રના અંત સુધીમાં પણ ગ્રૂપ બદલી અભ્યાસ કરી શકે તેવી જોગવાઈ કરવામાં આવી છે. આ ઉપરાંત ધો.12 સાયન્સમાં ગ્રૂપ-Bમાં નાપાસ થયેલો વિદ્યાર્થી પુનઃ પરીક્ષાર્થી તરીકે ગ્રૂપ-A અથવા ગ્રૂપ-AB પસંદ કરી શકશે. જ્યારે ધો.12 સાયન્સમાં ગ્રૂપ-Bમાં પાસ વિદ્યાર્થી પૂરક પરીક્ષામાં ગણિત વિષય સાથે પૃથ્થક વિદ્યાર્થી તરીકે પરીક્ષા આપી શકે તેવી જોગવાઈ કરવામાં આવી છે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના આ સુધારાના પગલે વિદ્યાર્થીઓને મોટા પ્રમાણમાં લાભ થશે. પરીક્ષાની જોગવાઈમાં સુધારો કરવા માટે સરકાર સમક્ષ દરખાસ્ત કરવામાં આવી હતી. દરખાસ્તના અનુસંધાને શિક્ષણ વિભાગે ઠરાવ બહાર પાડ્યો છે. જેમાં પરીક્ષાને લઈને મહત્વના સુધારા કરવામાં આવ્યા છે.
શિક્ષણ બોર્ડની પરીક્ષાની જોગવાઈમાં કરવામાં આવેલા સુધારામાં બોર્ડની મુખ્ય પરીક્ષામાં ધો.12 સાયન્સમાં ગ્રૂપ-B સાથે પાસ થયેલા વિદ્યાર્થી ઈચ્છે તો જે વર્ષે ગ્રૂપ-B સાથે પરીક્ષા પાસ કરી છે તે વર્ષની મુખ્ય પરીક્ષા પછીની તરત જ આવતી પૂરક પરીક્ષા અથવા તો તે પછીના વર્ષની મુખ્ય પરીક્ષા અથવા પૂરક પરીક્ષા ધો.12 ગણિત વિષય સાથે પૃથ્થક વિદ્યાર્થી તરીકે આપી શકશે. હાલના નિયમમાં આ પ્રકારની જોગવાઈ ન હતી. પરંતુ સુધારેલી જોગવાઈ અનુસાર આ જોગવાઈ કરવામાં આવી છે. જેથી B ગ્રૂપના વિદ્યાર્થીઓ વર્ષ બગાડ્યા વગર જ ગણિત સાથે પરીક્ષા પાસ કરી ઈજનેરી અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવી શકશે.
આ ઉપરાંત હાલની જોગવાઈ અનુસાર, બોર્ડની જાહેર પરીક્ષાનો પુનઃ પરીક્ષાર્થી વિષય જૂથની મર્યાદામાં વિષય ફેરફાર કરી શકશે. પરંતુ સુધારેલી જોગવાઈ અનુસાર, બોર્ડની જાહેર પરીક્ષાનો પુનઃ પરીક્ષાર્થી વિષય જૂથની મર્યાદામાં વિષય ફેરફાર કરી શકશે તથા ધો.12 સાયન્સમાં ગ્રૂપ-B સાથે નાપાસ થયેલા વિદ્યાર્થી પુનઃ પરીક્ષાર્થી તરીકે ગ્રૂપ- Bના બદલે ગ્રૂપ-A અથવા ગ્રૂપ- AB પસંદ કરી પરીક્ષા આપી શકશે. જેથી વિદ્યાર્થી નાપાસ થયા બાદ પોતાનો ગ્રૂપ બદલીને બાકીના બે ગ્રૂપ પૈકી ગમે તે ગ્રૂપ લઈ શકશે.
હાલની જોગવાઈ અનુસાર ધો.11 સાયન્સનો વિદ્યાર્થી પ્રથમ સત્રના અંત સુધીમાં ગ્રૂપ-A, B અને ABમાંથી કોઈ પણ ગ્રૂપ બદલીને ફેરફાર કરી શકશે. જો કે, સુધારેલી જોગવાઈ અનુસાર ધો.11 સાયન્સનો વિદ્યાર્થી પ્રથમ સત્રના અંત સુધીમાં અથવા બીજા સત્રના અંત સુધીમાં ગ્રૂપ-A અથવા ગ્રૂપ-B અથવા ગ્રૂપ- ABમાંથી કોઈપણ ગ્રૂપ બદલીને ધો.11નો અભ્યાસ કરી શકશે. ઉપરાંત જો કોઈ વિદ્યાર્થી ધો.11 સાયન્સમાં ગ્રૂપ-A અથવા ગ્રૂપ-B અથવા ગ્રૂપ-AB સાથે ઉતિર્ણ થયેલા હોય તો તે ધો.12 સાયન્સમાં કોઈ પણ ગ્રૂપ પસંદ કરીને અભ્યાસ કરી શકશે.
જોગવાઈમાં ફેરફારને પગલે સાયન્સ તરફ વિદ્યાર્થીઓ આકર્ષાશે
હાલમાં ધો.12 સાયન્સમાં દર વર્ષે સવા લાખ જેટલા વિદ્યાર્થીઓ નોંધાતા હોય છે. પરંતુ પરીક્ષાની જોગવાઈમાં કરવામાં આવેલા સુધારાના પગલે વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો થવાની શક્યતા છે. વિદ્યાર્થી ધો.11માં ગમે તે ગ્રૂપ પસંદ કરે અને અધવચ્ચે તે ગ્રૂપ બદલવા માંગતો હોય તો તેને છૂટ મળશે. આટલું જ નહીં, ધો.12 સાયન્સમાં B ગ્રૂપ લઈને નાપાસ થયેલા વિદ્યાર્થી અથવા તો પાસ થયેલા વિદ્યાર્થીઓને પણ ગ્રૂપ બદલવાની તક મળતી હોવાથી અન્ય વિદ્યાર્થીઓ પણ સાયન્સ પ્રવાહ લેવા માટે આકર્ષિત થશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઓસ્ટ્રેલિયાનો ઐતિહાસિક વિજય: ચેમ્પિયન્સ ટ્રોફીમાં સર્વોચ્ચ લક્ષ્યનો પીછો કરીને ઇંગ્લેન્ડને હરાવ્યું
February 23, 2025 01:06 AMજામનગર: ખોડીયાર કોલોનીમાં થઈ ઘરફોડ ચોરી...જાણો શું બોલ્યા ડીવાયએસપી
February 22, 2025 06:49 PMજામનગરની જીજી હોસ્પિટલમાં લુખ્ખા તત્વોના આતંકની ઘટનાના સીસીટીવી વિડીયો સામે આવ્યા
February 22, 2025 06:47 PMજામનગરમાં દિગજામ સર્કલ નજીક આંબેડકર બ્રિજ પર બે રીક્ષા વચ્ચે અકસ્માતની ઘટના
February 22, 2025 06:20 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech