પેપરો સારા ન જતાં ધો.૧૦ના વિધાર્થીનો આપઘાતનો પ્રયાસ

  • April 01, 2024 03:47 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


પરીક્ષામાં પેપરો સારા ન જવાથી વિધાર્થીઓ હતાશામાં નાસીપાસ થઇ જતા હોય છે કેટલાક વિધાર્થીઓ આપઘાત જેવું અંતિમ પગલું પણ ભરી લેતા હોય છે. ત્યારે રાજકોટમાં ગંજીવાડા વિસ્તારમાં રહેતા અને ધોરણ ૧૦માં અભ્યાસ કરનાર ૧૭ વર્ષના વિધાર્થીએ ફિનાઈલ પી આપઘાતનો પ્રયાસ કર્યેા હતો જેથી તેને સારવાર માટે સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.

બનાવની જાણવા મળતી વિગતો મુજબ, શહેરના ગંજીવાડા વિસ્તારમાં શેરી નંબર ૬૫ માં રહેતા આયુષ મહેશભાઈ ચાવડા(ઉ.વ ૧૭) નામના કિશોરે આજરોજ સવારના સુમારે પોતાના ઘરે ફીનાઇલ પી આપઘાતનો પ્રયાસ કરતા તેને સારવાર માટે સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. બનાવના પગલે હોસ્પિટલ ચોકીના સ્ટાફે જરી કાર્યવાહી કરી હતી.

પોલીસની પ્રાથમિક તપાસમાં એવી હકીકત સામે આવી હતી કે, આયુષ ચાવડા વીંછિયા નજીક આવેલી હોસ્ટેલમાં રહી ધોરણ ૧૦માં અભ્યાસ કરતો હતો. તાજેતરમાં જ પરીક્ષા પૂર્ણ થઈ હોય પરંતુ પેપર સારા ન ગયા હોય જેને લઇ તે હતાશ થઈ ગયો હતો અને તેની ચિંતામાં તેણે આ પગલું ભરી લીધું હોવાનું જાણવા મળ્યું છે.
યારે અન્ય એક બનાવમાં શાપરમાં રામદેવનગર વિસ્તારમાં રહેતી કિરણ કિશનભાઇ ધોરડીયા(ઉ.વ ૨૫) નામની પરિણીતાએ અગમ્ય કારણોસર ફીનાઇલ પી આપઘાતનો પ્રયાસ કર્યેા હતો તેમજ ભીમનગર પાસે વામ્બે આવાસ યોજના કવાર્ટરમાં રહેતા અજય જોભાઈ ભુરીયા(ઉ.વ ૨૪) નામના યુવાને ફિનાઈલ પી આપઘાતનો પ્રયાસ કરતા તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application