ગાયનેક વિભાગ નજીક મળી આવેલા ભૃણમાં ખુલી ચોંકાવનારી વિગત

  • October 06, 2023 11:52 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અધુરા માસે જન્મેલા ભૃણને શ્ર્વાન ખેંચીને લઇ ગયો : પોલીસે મહિલાને શોધી કાઢી


જામનગરની જી.જી. હોસ્પીટલના ગાયનેક વિભાગ નજીક ગઇકાલે વહેલી સવારે ભૃણ મળી આવતા દોડધામ મચી હતી, પોલીસ ટુકડી દ્વારા આ અંગે તપાસ હાથ ધરતા ગોધરાની એક મહિલાને અધૂરા માસે બાળક જન્મતા તેની પ્રોસીજર ચાલતી હતી. તે દરમિયાન કોઈ શ્ર્વાન આ ભ્રૂણને ઉપાડીને નાસી છૂટ્યું હતું.


જામનગરની જી.જી. હોસ્પિટલના ગાયનેક વિભાગ નજીક ગઇકાલે નવજાત શિશુ મૃત હાલતમાં મળી આવતા પોલીસ દોડી ગઇ હતી અને હોસ્પીટલ તંત્રને પણ જાણ કરવામાં આવી હતી, શીશુનો કબજો લેવાયા પછી કરાયેલી તપાસમાં પ્રાથમિક તબક્કે અધૂરા માસે જન્મ્યું હોય તેવું આ બાળક ગોધરાના એક મહિલાનું હોવાનું ખૂલ્યું હતું. તેથી તાકીદે તે મહિલાને શોધી કાઢવામાં આવ્યા હતા.


વધુમાં મળેલી વિગત મુજબ ગોધરાથી મજૂરીકામ માટે જામનગર તરફ આવેલા આ મહિલાને ગુરૂવારે સવારે પ્રસૂતિની પીડા ઉપડતા તેઓને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. તે મહિલા વોર્ડમાં પહોંચે તે પહેલા તેમને રસ્તામાં જ પ્રસૂતિ થઈ ગઈ હતી અને તેમનું અધૂરા મહિનાનું બાળક મૃત હાલતમાં જન્મ્યું હતું. તે બાળકને તપાસ્યા પછી તબીબોએ મૃત જાહેર કર્યું હતું અને બાકીની પ્રોસીજર માટે મહિલાને રોકવામાં આવ્યા હતા. તે દરમિયાન કોઈ શ્ર્વાન મૃત બાળકને તાણી ગયું હતું અને કચરાપેટી સુધી લઈ ગયું હતું ત્યારે કોઈની તેના પર નજર પડી જતાં આખો મામલો બહાર આવ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application