જિલ્લા કલેકટર અને ચીફ ઓફિસરો દ્વારા ઝીરો વેસ્ટ બાબતે ચર્ચા
દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા ખાતે સૌરાષ્ટ્ર ઝોનના પ્રાદેશિક નગરપાલિકાના નિયામક દ્વારા ખાસ બેઠક યોજવામાં આવી હતી. અહીંના જિલ્લા કલેકટર તેમજ તમામ છ પાલિકાઓના ચીફ ઓફિસરોની ઉપસ્થિતિમાં ઝીરો વેસ્ટ તેમજ પાણી સહિતના મહત્વના બાબતે ચર્ચા વિચારણાઓ કરવામાં આવી હતી.
સૌરાષ્ટ્ર વિસ્તારના પ્રાદેશિક નિયામક તરીકે ફરજ બજાવતા અધિકારી જાની દ્વારા ખંભાળિયા ખાતે ખંભાળિયા, સલાયા, ભાણવડ, રાવલ, દ્વારકા અને ઓખા એમ દ્વારકા જિલ્લાની તમામ છ નગરપાલિકાના ચીફ ઓફિસરો તેમજ ઈજનેરો સહિતના અધિકારીઓ સાથે યોજાયેલી મહત્વની બેઠકમાં જિલ્લા કલેકટર જી.ટી. પંડ્યા અને જિલ્લા વિકાસ અધિકારી એસ.ડી. ધાનાણી દ્વારા ખાસ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દરેક નગરપાલિકાઓમાં તાજેતરના ભારે વરસાદની પરિસ્થિતિમાં થયેલા નુકસાનની તેમજ પાણીની પરિસ્થિતિ ઉપરાંત દરેક નગરપાલિકાઓમાં ચાલતા ઈ.એમ.આર.ના કામોની પાલિકા દ્વારા કરવામાં આવેલી કામગીરી સંદર્ભેની સમીક્ષા કરવામાં આવી હતી.
આટલું જ નહીં, આ બેઠકમાં દરેક નગરપાલિકા દ્વારા પોતાના કાર્યક્ષેત્રમાં કોઈ પણ કચરો જમા ન થાય અને કચરાનો તાકીદે યોગ્ય નિકાલ થાય તે માટે ઝીરો વેસ્ટની કામગીરી ઉપરાંત સ્થાનિક કક્ષાએ પાણી પુરવઠા વિભાગની વર્તમાન સ્થિતિ અંગેની ચર્ચા સાથે નિયામક દ્વારા જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ બેઠકમાં ખંભાળિયા નગરપાલિકાના ચીફ ઓફિસર ભરતકુમાર વ્યાસ, દ્વારકાના ચીફ ઓફિસર ઉદય નસીત, ઓખાના શુક્લા, સલાયાના પંડ્યા, રાવલ સહિતના ચીફ ઓફિસર ઉપરાંત ખંભાળિયાના ઈજનેર એન.આર. નંદાણીયા વિગેરે ઉપસ્થિત રહ્યા હતા. આ મિટિંગ બાદ નિયામક દ્વારા ખંભાળિયા નગરપાલિકાના અત્રે સુમરા તરઘરી ગામે આવેલા ડમ્પિંગ સ્ટેશનની પણ મુલાકાત લેવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationડીસામાં ગેરકાયદે ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટ કેસ, ફેક્ટરી માલિક દિપકની ઈડરથી ધરપકડ
April 01, 2025 10:03 PMભારતે કાઢી ડ્રેગનની હેકડી, શા માટે પરેશાન થઈ રહ્યું છે ચીન? હવે લંબાવે છે દોસ્તીનો હાથ
April 01, 2025 09:48 PMGUJCET 2025: પ્રોવિઝનલ આન્સર કી જાહેર, 5 એપ્રિલ સુધીમાં વાંધા રજૂ કરી શકાશે
April 01, 2025 08:38 PMગાંધીજીના પ્રપૌત્રી નીલમબેનનું 93 વર્ષની વયે નિધન, નવસારીમાં અંતિમ શ્વાસ લીધા
April 01, 2025 08:37 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech