તાજેતરમાં કટરા પાસે શ્રદ્ધાળુઓની બસ પર થયેલા આતંકવાદી હુમલા બાદ માતા વૈષ્ણોદેવીના દર્શનાર્થે આવતા ભક્તોની સંખ્યામાં ભારે ઘટાડો નોંધાયો હતો. શ્રાઈન બોર્ડના જણાવ્યા અનુસાર પહેલા રોજના 50 થી 55 હજાર ભક્તો આવતા હતા.પરંતુ આ આતંકવાદી ઘટના બાદ શ્રદ્ધાળુઓની સંખ્યા ઘટીને 25 થી 30 હજાર થઈ ગઈ છે.
તે જ સમયે 29 જૂનથી અમરનાથ યાત્રા સત્તાવાર રીતે શરૂ થવા જઈ રહી છે. યાત્રાળુઓની પ્રથમ ટુકડી આજે કાશ્મીર પહોંચી ગયી છે અને જમ્મુ થી પહેલી ટુકડીને રવાના કરી દેવામાં આવી છે . આવી સ્થિતિમાં સરકારે યાત્રાને લઈને કડક સુરક્ષા વ્યવસ્થા કરી છે. આ વખતે ગતિવિધિ પર ચાંપતી નજર રાખવા માટે સમગ્ર રૂટ પર સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે.બીજી તરફ સરકારે પણ માતા વૈષ્ણો દેવી તરફ જતા માર્ગો પર સુરક્ષા વધારી દીધી છે. દરમિયાન સરકાર અને શ્રાઈન બોર્ડે પણ અપીલ કરી છે કે માતાના દરબારમાં આવતા ભક્તોએ કોઈ પણ જાતના ડર વગર આવવું જોઈએ.ભક્તોની સંખ્યામાં ઘટાડો થતાં કટરા મુખ્ય બજાર પણ સુસ્ત બની ગયું છે. ભક્તોનો ઉત્સાહ ભાગ્યે જ જોવા મળે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationદ્વારકા નજીક રીક્ષાની અડફેટે બાઈક ચાલક ઇજાગ્રસ્ત
February 24, 2025 11:46 AMકોડીનાર ખાતે સાંસદના હસ્તે રૂા. ૧૬.૭૩ કરોડના કુલ ૩૨ કામોનું લોકાર્પણ
February 24, 2025 11:46 AMલગ્ન ન થતા હોવાથી મોજપના યુવાને ગળાફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી
February 24, 2025 11:45 AMમોરબી કતલખાને જીવો ભરેલી બોલેરો ગાળા પાસેથી ઝડપાઇ
February 24, 2025 11:44 AMભવનાથમાં પો.સ્ટેશનની સામે સાધુની કારમાંથી ૬૭ હજાર ચોરીજનારા ચાર ઝબ્બે
February 24, 2025 11:43 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech